ETV Bharat / state

28 જુનના સોમનાથથી શરૂ થયેલી જનસંવેદના મુલાકાત યાત્રા ગઇકાલે અંબાજીમાં પુર્ણ કરી

author img

By

Published : Jul 29, 2021, 7:53 AM IST

ગુજરાતમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઇ વિવિધ રાજકીય પક્ષો પોતાની ચૂંટણી રણનિતિમાં લાગી ગયા છે. જેમાં ખાસ કરીને આપ પાર્ટી અન્ય પાર્ટીઓને ટક્કર આપવા પ્રયાસ કરી રહી છે. ત્યારે ગત્ત લોકસંપર્કના ભાગ રૂપે ગઇકાલે 28 જુનના સોમનાથ ખાતેથી જનસંવેદના મુલાકાત યાત્રા શરૂ કરી હતી.

સોમનાથથી શરૂ થયેલી જનસંવેદના મુલાકાત યાત્રા ગઇકાલે અંબાજીમાં પુર્ણ કરી
સોમનાથથી શરૂ થયેલી જનસંવેદના મુલાકાત યાત્રા ગઇકાલે અંબાજીમાં પુર્ણ કરી

  • આપ પાર્ટી અન્ય પાર્ટીઓને ટક્કર આપવાં પ્રયાસ કરી રહી
  • 28 જુનના સોમનાથથી જનસંવેદના મુલાકાત યાત્રા શરૂ કરી હતી
  • એક મહિના સુધી લોકોના સંપર્કમાં રહીને ગઇકાલે શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રા પુર્ણ કરી

બનાસકાંઠા : એક મહિના સુધી લોકોના સંપર્કમાં રહીને ગઇકાલે શક્તિપીઠ અંબાજી ખાતે પુર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ થકી અંબાજી પંથકમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજંલિ પાઠવવામાં આવી હતી. આપના નેતાઓ દ્વારા તેમના પરિવારજનોને પણ સાંત્વના આપી હતી.

કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છુપાવી રહી

આપ પાર્ટી પોતાના આ કાર્યક્રમ થકી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આકંડો ભેગો કરી રહી છે. આ વિસ્તારમાં પણ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ફોર્મ ભરાવ્યા હતા. જેમાં સરકાર જે કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છુપાવી રહી છે. ત્યારે આપ પાર્ટી સાચા આંકડા લાવવા નો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં પહોંચી AAPની જનસંવેદના યાત્રા, મોટી સંખ્યામાં લાકો રહ્યા ઉપસ્થિત

પ્રથમ તબક્કાની જનસંવેદના યાત્રાનું અંબાજી ખાતે સમાપન કરાયું

આપ પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ભાજપા સરકાર દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે. જો આગામી સમયમાં આપ પાર્ટીને તક મળશે તો દિલ્હીમાં જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાષન લાવ્યુ છે. તે રીતે અમે પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશુ. ગઇકાલે પ્રથમ તબક્કાની જનસંવેદના યાત્રાનું અંબાજી ખાતે સમાપન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જામનગરમાં પહોંચી AAPની જનસંવેદના યાત્રા, ઠેર-ઠેર કરાયું સ્વાગત

કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

બીજા ચરણની યાત્રા 16 ઓગસ્ટથી ઉમિયા માતાના દર્શન કરીને ફરી શરૂ કરાશે. જોકે, ગઇકાલે પ્રથમ તબક્કાની જનસંવેદના યાત્રા પુર્ણ કરી માં અંબાના દર્શન કર્યા હતા. મંદિરના ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી પણ બંધાવી હતી. રાજકરાણમાં પ્રવેશેલા ઇસુદાન ગઢવી જાણે ત્રીજા તબક્કાની કોરોનાની લહેરને આમત્રણ આપવાં અંબાજી પહોંચ્યા હોય તેમ પોતે અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.

આ પણ વાંચો : AAPની જનસંવેદના યાત્રા દરમિયાન વિસાવદરના લેરિયા ગામમાં કાર્યકરો પર થયો હુમલો

કોરોનાના મૃતકોને શ્રદ્ધાજંલિ આપવા નીકળેલા ઇસુદાન ગઢવી કોરોનાની ગાઇડ ભુલ્યા

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માસ્ક વગર ટોળામાં ઉમટી પડ્યાં હતા. કોરોનાના મૃતકોને શ્રદ્ધાજંલિ આપવા નીકળેલા આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી રાજકારણના મતહોશમા કોરોનાની ગાઇડ લાઇન કેમ ભુલાય તે એક જ્યેષ્ટ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.