ETV Bharat / state

ભાદરવી પુનમના મેળામાં 185 વર્ષ જુનો લાલ ડંડા વાળો સંઘ અંબાજી પહોચ્યો

author img

By

Published : Sep 10, 2019, 11:25 PM IST

સ્પોટ ફોટો

અંબાજીઃ અમદાવાદમાં છેલ્લા 185 વર્ષથી લાલ ડંડાનો સંઘ પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલા સંઘવી અને 61 જેટલી લાલ ધજા લઈમાં અંબાના દ્વારે પોહોંચ્યો છે.

ગુજરાતનું જ નહીં પણ ભારત ભરના કરોડો શ્રદ્ધાળુંઓનો આસ્થાનું સ્થાન એટલે કે, યાત્રાધામ અંબાજી છે. જ્યાં વર્ષ દરમિયાન લાખો પદયાત્રીઓ દ્વારા ભરાતો ભાદરવી પુનમના મેળાની વર્ષો જુની પરંપરાને શ્રદ્વાળુંઓએ આજે પણ જાળવી રાખી છે.

અંબાજીમાં ભાદરવી પુનમના મેળામાં 185 વર્ષ જુનો લાલ ડંડા વાળો સંઘ પહોચ્યો

છેલ્લા 185 વર્ષથી અમદાવાદથી લાલ ડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલા સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઇ માં અંબાના દ્વારે પહોંચ્યો છે. પહેલા ખોડીયાર માતાના મંદિરે કુમકુમના થપ્પા લગાવવામાં આવે છે અને પછી સંઘવીઓને પણ થપ્પો લગાયા પછી મંદિરમાં માતાજીને ધજા ચઢાવવામાં આવે છે. આ સંઘ સૌથી જુનો અને સૌથી મોટો માનવામાં આવે છે. કહેવાય છે કે, અમદાવાદ શહેરમાં પ્લેગના રોગચાળાને ડામવા આ અંબાજી પદયાત્રાની બાધા રાખવામાં આવી હતી. જે પરીપુર્ણ થતાં આ શ્રદ્ધાના વહેણ પદયાત્રા રૂપી આજે પણ વહી રહ્યા છે. વર્ષો જુની પરંપરાને આજે પણ નિભાવી સાથે અનેક બાધા રાખેલાં શ્રદ્ધાળુંઓ પણ આ સંઘમાં જોડાય છે. સમગ્ર અંબાજી મંદિર પણ આ એક સાથે ધજાઓ આવતાં ચાચરચોક જાજરમાન બની જાય છે.

Intro: Gj_ abj_01_ LAL DANDA SANGH _AVB_7201256
LOKESAN---AMBAJI


Body: ગુજરાત નું જ નહીં પણ ભારત ભરનાં કરોડો શ્રદ્ધાળુંઓ નો આસ્થા નું સ્થાન એટલેકે યાત્રાધામ અંબાજી જ્યાં વર્ષ દરમીયાન લાખ્ખો પદયાત્રીઓ દ્વારા ભરાતો ભાદરવી પુનમ નાં મેળા ની વર્ષો જુની પરંપરા ની શ્રધ્ધાળુંઓ દ્વારા આજે પણ જાળવી રખાઇ છે. છેલ્લા 185 વર્ષ થી અમદાવાદ થી લાલ ડંડા નો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલાં સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઇ માં અંબા ના ધ્વારે પહોંચ્યો છે ને પહેલાં ખોડીયાર માતાના મંદિરે કુમકુમ ના થપ્પા લગાવવામાં આવે છે. અને પછી સંઘવીઓ ને પણ થપ્પો લગાયા પછી મંદિર માં માતાજી ને નેજા ચઢાવવામાં આવે છે. આ સંઘ સૌથી જુનો અને સૌથી મોટો માનવામાં આવે છે. કહેવાય છે કે અમદાવાદ શહેરમાં પ્લેગ નાં રોગચાળા ને ડામવાં આ અંબાજી પદયાત્રા ની બાધા રાખવામાં આવી હતી જે પરીપુર્ણ થતાં આ શ્રદ્ધા નાં વહેણ પદયાત્રા રૂપી આજે પણ વહી રહ્યા છે.ને વર્ષો જુની પરંપરા ને આજે પણ નિભાવી સાથે અનેક બાધા રાખેલાં શ્રદ્ધાળુંઓ પણ આ સંઘ માં જોડાય છે. ને સમગ્ર અંબાજી મંદિર પણ આ એક સાથે ધજાઓ આવતાં ચાચરચોક જાજરમાન બની જાય છે.
બાઈટ:-1 કૌશીકભાઇ ગૌર,(સંયોજક,લાલડંડા સંઘ),અમદાવાદ

Conclusion:
ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.