ETV Bharat / state

Yatradham Ambaji : ગુજરાતના તમામ વિસ્તારોમાંથી સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા

author img

By

Published : Jan 15, 2022, 11:59 AM IST

Yatradham Ambaji  : ગુજરાતના તમામ વિસ્તારોમાંથી સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા
Yatradham Ambaji : ગુજરાતના તમામ વિસ્તારોમાંથી સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા

મકરસંક્રાંતિ નિમિતે યાત્રાધામ અંબાજીમાં સાધુ સંતો(Sadhu Santo in Yatradham Ambaji) દ્વારા એક નવી અને અનોખી પરંપરાનો પ્રારંભ કર્યો છે. જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ, સહીત જુનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે તે રીતે સંક્રાંતિનું સ્નાન શાહી સ્નાન(Royal Bath of Saints in Gaumukh Kund) જેવી પરંપરા હવે અંબાજીમાં પણ શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠાઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંતો મહંતો યાત્રાધામ અંબાજી(Sadhu Santo in Yatradham Ambaji) ખાતે ઉમટી પડ્યા હતા. માનસરોવર પાસે ભોળાગીરી મહારાજની ધૂણીએથી શાહી સવારી(Royal Ride in Ambaji) નીકળવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી ગણેશજીની પાલકી યાત્રા(Palki Yatra of Shri Ganeshji in Ambaji) અને સંતોને બગીમાં બેસાડી વિશાળ શોભાયાત્રા અંબાજી શહેરની નગરયાત્રા(Procession of Ambaji City) કર્યા બાદ સંતો મહંતો અને નાગા સાધુઓની આ જમાત કોટેશ્વર મુકામે પહોચી હતી.

ગૌમુખ કુંડ ધ્રુજી ઉઠ્યું

સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા

ગૌમુખ કુંડ વિસ્તારમાં સંતો મહંતો દ્વારા હર હર મહાદેવના નાદથી ધ્રુજી ઉઠ્યું હતું. જ્યાં સર્વ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીને ગૌમુખ કુંડમાં પૂજન અર્ચન સાથેનું શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ તમામ સાધુઓ ગૌમુખ કુંડમાં કડકડાતી ઠંડીમાં પણ શાહી સ્નાનની(Royal Bath of Saints in Gaumukh Kund) ડુપકી લગાવી હતી.

દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે શાહી સ્નાન આયોજન
આ પ્રસંગે અંબાજીમાં સર્વ પ્રથમ નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતોની અનોખી મોજ જોવા મળી હતી. નાચગાન કરતા તમામ સંતો કોટેશ્વર પહોચ્યા હતા. આયોજન મહંતે જણાવ્યું હતું કે, જ્યાં સર્વ પ્રથમ વખત જે રીતે શાહી સ્નાન કર્યું હતું તેની પરંપરા હવે આવનારા સમયમાં નિયમિત પણે મકરસંક્રાંતિના દિવસે કોટેશ્વર ગોંમુખ કુંડ ખાતે મીનીકુંભ સ્વરુપે આ પ્રકારના શાહી સ્નાનનું(Royal Bath on Makar Sankranti) આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona In Gujarat: કોરોનાના વધતા કહેરને જોતા અંબાજી મંદિર ફરી એકવાર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ

આ પણ વાંચોઃ Gold Donation In Ambaji Tample: અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને રૂપિયા 48 લાખના સોનાનું દાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.