ETV Bharat / state

કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા હવન કરાયો

author img

By

Published : May 15, 2021, 8:31 AM IST

કોરોનાના વધતા સંક્રમણને લઈ યાત્રાધામ અંબાજીનું મંદિર એક મહિનાથી બંધ છે. ત્યારે કોરોનાથી સંક્રમિત થયેલા લોકોને દવાની સાથે દુઆ મળે તે માટે અંબાજી મંદિરની યજ્ઞ શાળામાં સપ્ત દિવસીય કષ્ટ નિવારણ હોમ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાતમા દિવસે આ કષ્ટ નિવારણ હોમ યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે.

કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા હવન કરાયો

  • અંબાજી મંદિરની યજ્ઞ શાળામાં સપ્ત દિવસીય કષ્ટ નિવારણ હોમ યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી
  • કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા હવન કરાયો
  • પૂજારીઓ દ્વારા 1,11,000 કષ્ટ નિવારક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી

બનાસકાંઠાઃ અંબાજી મંદિરના પ્રાંગણમાં ચાલતા આ યજ્ઞમાં વિવિધ પ્રકારના સાતે દિવસ હોમ હવન કરવામાં આવ્યા હતા. આ કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ અને 51 શક્તિપીઠ મંદિરના પૂજારીઓ દ્વારા 1,11,000 કષ્ટ નિવારક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી કોરોના પીડિત દર્દીઓ સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વેક્સિનેશન અંગે જાગૃતતા પ્રસરાવવા વડોદરા મહાનગર પાલિકાએ સોન્ગ લોન્ચ કર્યું

કોરોના પીડિત દર્દીઓ સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી

કોરોના પીડિત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. બ્રાહ્મણો દ્વારા પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ સપ્ત દિવસીય યજ્ઞ પૂર્ણ થતાં હવે કોરોના મહામારીનું જોર ચોક્કસ ઘટશે, તેવો આશાવાદ બ્રાહ્નણો સેવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.