ETV Bharat / state

બનાસકાંઠામાં કુમળી વયના બાળકને અંધશ્રદ્ધાનો ડામ...

author img

By

Published : Jun 2, 2019, 7:47 PM IST

બનાસકાંઠાઃ 21મી સદીમાં પણ લોકો હજુ અંધશ્રદ્ધામાં જીવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠામાં નાના બીમાર બાળકોને ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધાના કારણે કેટલાય બાળકો વધુ બીમાર થઈ રહ્યા છે.

કુમળી વયના બાળકને અંધશ્રદ્ધા નો ડામ.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સામાજિક અને શૈક્ષણિક વિકાસ વધી રહ્યો છે, પરંતુ આજે પણ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો અશિક્ષિત હોવાના કારણે હજુ પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં નાના બાળકો જ્યારે બીમાર થાય છે ત્યારે ગરમ સળિયા કે ચિપિયા વડે ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળે છે, તો ડીસાની હોસ્પિટલોમાં અત્યારે પણ મહિનામાં પંદરથી વીસ દર્દીઓ એવા આવે છે કે, જેના પરિવાર દ્વારા બીમાર બાળકોને શરીર પર ડામ આપવામાં આવતા હોય છે.

કુમળી વયના બાળકને અંધશ્રદ્ધા નો ડામ.

આ મામલે લોકોમાં જાગૃતિ આવે તે માટે તબીબો દ્વારા પણ અનેકવાર પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ લોકો હજુ સુધી અંધશ્રદ્ધામાંથી બહાર આવતા નથી અને નાના બાળકોને સામાન્ય તાવ, ખાંસી, ઉધરસ કે કોઈપણ પ્રકારની બિમારી થાય તો તેઓને સીધા જ ડામ અપાવવા માટે લઈ જાય છે.

હાલની જો વાત કરવામાં આવે તો ડીસામાં 10થી વધુ બાળકોની હોસ્પિટલો આવેલી છે. જેમાં મહિનામાં અંદાજે 20થી પણ વધુ આવા શરીરે ડામ આપેલા બાળકો સારવાર માટે આવતા હોય છે. તેઓને તેમના પરિવાર દ્વારા ડામ આપી સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ મોટેભાગે ડામ આપ્યા બાદ આવા બાળકો વધુ બિમાર થતા હોય છે અને તેઓને હોસ્પિટલમાં દસથી પંદર દિવસ સુધી દાખલ રાખી સારવાર આપવામાં આવતી હોય છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 02 06 2019

સ્લગ......અંધશ્રદ્ધા ના ડામ

એન્કર........21મી ટેકનોલોજીની સદીમાં પણ હજુ લોકો અંધશ્રદ્ધા માં જીવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બનાસકાંઠામાં પણ નાના બીમાર બાળકોને ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા ના કારણે કેટલાય બાળકો વધુ બીમાર થઈ રહ્યા છે.......

વી ઓ ......બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સામાજિક અને શૈક્ષણિક વિકાસ વધી રહ્યો છે પરંતુ આજે પણ જુલ્લાનાં છેવાડા ના અંતરિયાળ વિસ્તારોમાં લોકો અશિક્ષિત હોવાના કારણે હજુ પણ અંધશ્રદ્ધા માં જીવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં નાના બાળકો જ્યારે બીમાર થાય છે ત્યારે તેઓને ડામ આપી એટલે કે ગરમ સળિયા કે ચિપિયા વડે ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળે છે ડીસાની હોસ્પિટલોમાં અત્યારે પણ મહિનામાં પંદર થી વીસ દર્દીઓ એવા આવે છે જેના પરિવાર દ્વારા બીમાર બાળકોને શરીર પર ડામ આપવામાં આવતા હોય છે આ મામલે લોકોમાં જાગૃતિ આવે તે માટે તબીબો દ્વારા પણ અનેકવાર પ્રયાસો કરવામાં આવે છે પરંતુ લોકો હજુ સુધી અંધશ્રદ્ધા માંથી બહાર આવતા નથી અને નાના બાળકોને સામાન્ય તાવ ,ખાંસી, ઉધરસ કે કોઈપણ પ્રકારની બીમારી થાય તો તેઓને સીધા જ ડામ અપાવવા માટે લઈ જાય છે.....

બાઈટ......1..પુરીબેન ઠાકોર
(  બાળક ના દાદી, વાવ )

વી ઓ ....... હાલમાં ડીસામાં ૧૦ થી વધુ બાળકો ની હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલમાં મહિનામાં અંદાજે ૨૦ થી પણ વધુ આવા શરીરે ડામ આપેલા બાળકો સારવાર માટે આવતા હોય છે જેમને તેમના પરિવાર દ્વારા ડામ આપી સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ મોટેભાગે ડામ આપ્યા બાદ આવા બાળકો વધુ બિમાર થતા હોય છે અને તેઓને હોસ્પિટલમાં દસથી પંદર દિવસ સુધી દાખલ રાખી સારવાર આપવામાં આવતી હોય છે આ માટે તબીબો દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક વખતે આવા પરિવારોને સમજાવવામાં આવે છે પરંતુ હજુ પણ લોકો અંધશ્રદ્ધા માં જીવતા હોવાથી આવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.......

બાઈટ......1..ડો.સુનિલ આચાર્ય
( બાળ રોગ નિષ્ણાંત )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.