અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય

author img

By

Published : Oct 1, 2021, 6:40 PM IST

Latest news of Banaskantha
Latest news of Banaskantha ()

બનાસકાંઠાનું અંબાજી 51 શક્તિપીઠ માંનુ એક તીર્થસ્થળ છે. જ્યાં છેલ્લા 60 વર્ષથી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેના આયોજનકર્તા નવયુવક પ્રગતિ મંડળે કોરોનાને કારણે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધો છે. સરકારે 400 લોકોની પરવાનગી આપી હોવા છતાં ત્યાં હજારો લોકો એકઠા થઈ શકે છે જે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા
  • સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ
  • ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી

બનાસકાંઠા: મા અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે. જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસો સુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે. રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળ અંબાજીના પ્રમુખ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું.

અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય

આ પણ વાંચો: સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ

ગરબાનો કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધા હોવાનુ નવ યુવક પ્રગતિ મંડળે જણાવ્યુ

મંદિર ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ શકશે. પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલ ઠાકરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી

  • રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં 9 સપ્ટેમ્બરે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડી.જે.પાર્ટી અને મ્યુઝિક પાર્ટી સહિત 400 લોકોને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ મર્યાદિત સંખ્યામાં એકત્રીત થવાની મંજૂરી આપવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.