ETV Bharat / state

અહીં ખેડૂતોએ સામાન્ય ખર્ચે કૂવા રિચાર્જ કરી Water Problem હલ કરી દીધો

author img

By

Published : Jun 26, 2021, 8:47 PM IST

કૂવા રિચાર્જ
કૂવા રિચાર્જ

બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદથી પાણીની અછત જ રહે છે. પાણીની અછતના (Water Problem) કારણે અનેક ગામોની પરિસ્થિતિ બેહાલ જેવી બને છે. ત્યારે આ સંજોગોમાં પાણીની બચત માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. જેમાં સામાન્ય ખર્ચે (Recharging Wells ) પાણીથી કૂવા રિચાર્જ કરી તળ લાવી રહ્યાં છે.

  • પાણીની અછતથી (Water Problem) પીડાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ હલ શોધ્યો
  • સામાન્ય ખર્ચે કૂવા ( Recharging Wells) રિચાર્જ કરી પાણીની સમસ્યા હલ કરી
  • ભરકવાડા ગામના 10 ખેડૂતોએ પાણીના કૂવા રિચાર્જ કર્યા

બનાસકાંઠા : જિલ્લાના પાલનપુર, વડગામ અને દાંતીવાડા તાલુકાના અનેક ગામ એવા છે કે, જ્યાં ભૂગર્ભ જળના સ્તર 1000 ફૂટ નીચે જતા રહ્યાં છે. તો બીજી તરફ સિંચાઈ માટેની સુવિધાનો પણ અભાવ (Water Problem) છે. ત્યારે કેટલાક ખેડૂતોએ જાતે જ પોતાના કૂવા અને બોર રિચાર્જ (Recharging Wells ) કરી સફળતા મેળવી છે અને અન્ય ખેડૂતોને પણ જળસંચય માટે રાહ ચીંધી રહ્યાં છે.

પાણીની વિકટ સમસ્યા

બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો (Water Problem)સામનો કરતો આવતો જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો છે કે આજે પણ માત્ર ખેતી અને પીવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જિલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ ના કારણે અનેક ગામોની પરિસ્થિતિ પાણી વગર બદતર બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો આજે પણ પીવાના પાણી માટે મહિલાઓને કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણીની આવક થઇ હતી જેના કારણે હાલમાં ડેમ આધારીત લોકો પીવા અને ખેતી કરવા માટે પાણીની અછત ભોગવી રહ્યા છે.

ખેડૂતોએ જાતે જ પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી સફળતા મેળવી

ખેડૂતોનો નવતર પ્રયોગ

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો એવા છે કે, જ્યાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તો જ ખેતી શક્ય બને છે. પશુઓ માટે પાણીના હવાડા પણ ટેન્કરથી ભરવા પડે તેવી સ્થિતિ હોય છે.ત્યારે પાણીના પોકારોથી (Water Problem) કંટાળી હવે ખેડૂતો જાત મહેનત જિંદાબાદ ના સૂત્ર સાથે એક નવો પર્યોગ હાથ ધર્યો છે.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકવાડા ગામના 10 ખેડૂતોએ પાણીથી કૂવા રિચાર્જ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી વડગામ તાલુકામાં પાણીની મોટી સમસ્યા હોવાનાં કારણે ખેડૂતોએ ખેતી કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે આ પાણીના સમસ્યાના નિકાલ માટે ભરકવાડા ગામના વડીલો યુવાનોએ મિટિંગ કરી હતી. જેમાં તમામ લોકોએ વિચારણા હાથ ધરી કે (Recharging Wells ) જૂના કૂવા કઈ રીતે રિચાર્જ કરવા? ત્યારે સૌ પ્રથમ હરિભાઈ ગાલવ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કૂવા રિચાર્જ માટેની તૈયારી દર્શાવી જેમાં 1 લાખના ખર્ચે થી વરસાદનું વહી જતું પાણી પાઇપલાઇનથી પોતાના કૂવા માં ઉતરે તે રીતે સમગ્ર આયોજન કર્યું.ત્યાર બાદ ગામના અન્ય ખેડૂતો એ પોતાના કૂવા રિચાર્જ માટેનું અભિયાન શરૂ કર્યું .જેનાથી બે મહિનામાં જ 10 જેટલા ખેડૂતોએ પોતાના કૂવા રિચાર્જ કરવા માટે વરસાદનું વહી જતું પાણી પોતાનાના કૂવામાં ઉતારી સફળતા મેળવી છે.

વરસાદી પાણીથી કૂવા ભરાયા

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીથી ખેડૂતો દ્વારા બનાવેલ કૂવા છલોછલ ભરાઈ ગયા હતા. જેના કારણે ભરકવાડા ગામમાં 10 જેટલા ખેડૂતોએ (Recharging Wells ) કૂવા રિચાર્જ કરવા માટે સિસ્ટમ ગોઠવી હતી.તે સફળ નીવડી હતી. વડગામ તાલુકામાં પ્રથમ વરસાદ થતા જ કૂવામાં પાણીની ભરપૂર આવક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.પાંડુરંગ શાસ્ત્રીએ 1980 માં કહેલું કે ધરતી માતાની અંદરથી જેટલું પાણી લઈએ છીએ તે પાણી કૂવા બોર રિચાર્જ કરી ધરતી માતાને પાછું આપીએ તો ધરતી માતાનું ઋણ અદા થશે. જે વિચારથી ખેડૂતોએ આવી મુશ્કેલીના સમયે અભિયાન ઉપાડયું. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના બોર ફેલ થઈ જતા ખેડૂતોને (Water Problem) ચિંતા હતી.ત્યારે હવે ખેડૂતોને બીજી કોઈ આશા ન દેખાતા ખેડૂતોના ખેતરમાં જૂના કૂવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યુ.છેલ્લા બે મહિનામાં ભરકાવાડા ગામના 10 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં વરસાદી પાણી સીધું કૂવામાં ઉતરે તેવી વ્યવસ્થા કરાવી છે. જૂના કૂવા રિચાર્જ થવાથી ખેડૂતોના ખેતરમાં પાણીના તળ પણ ઊંચા આવશે.

કૂવા રિચાર્જ
એવા અનેક ગામો છે કે આજે પણ માત્ર ખેતી અને પીવા માટે વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે

આ પણ વાંચોઃ પાણી માટે આ કેવી મજબૂરી? જાણવા અહેવાલ વાંચો...

અન્ય ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે

ભરકાવાડા ગામના ખેડૂતો દ્વારા વરસાદી પાણીના વહી જતા પાણીનો સદુપયોગ કરી (Recharging Wells ) પાણીના તળ ઉંચા લાવવા માટે જે અભિયાન શરૂ કર્યું હતું તે સફળ થયું છે અને તેના કારણે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પડેલા સારા વરસાદના કારણે તમામ વરસાદી પાણી ખેડૂતોએ બનાવેલા કૂવામાં એકત્રિત કરવામાં આવ્યું હતું. જેથી પાણીના તળ ઉંચા આવ્યાં હતાં. વડગામ તાલુકાના ખેડૂતોએ શરૂ કરેલા આં અભિયાન હવે અન્ય ગામના ખેડૂતો પણ જોડાઈ રહ્યાં છે. ત્યારે જો આવનારા સમયમાં તમામ ખેડૂતો વહી જતાં વરસાદી પાણીનો આ રીતે ઉપયોગ કરશે તો ભવિષ્યમાં જે દિવસે ને દિવસે પાણી નાખતાં ઊંડા જઈ રહ્યાં છે તે સચવાઈ રહેશે.

કઈ રીતે થાય છે કૂવા રિચાર્જ?

કૂવા રિચાર્જ (Recharging Wells ) માટે ખેડૂતે સૌ પ્રથમ તો પોતાના ખેતરની નજીકમાં વરસાદી પાણી ક્યાં એકઠું થાય છે અથવા તો કઈ જગ્યાએથી પ્રવાહ વહે છે તે સ્થળ પસંદ કરવાનું રહે છે. જ્યાં પાણી એકત્ર થતું હોય ત્યાં આરસીસીની એક ચેમ્બર બનાવવામાં આવે છે. તેમાં એક પાઈપ મુકી કૂવા સુધી લઈ જવામાં આવે છે. ચેમ્બરમાં પથ્થરની કપચી ભરી દેવામાં આવે છે જેથી પાણી શુદ્ધ થઈને જ કૂવામાં જાય છે. ખેડૂત સામાન્ય ખર્ચમાં આ સિસ્ટમ બનાવી પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી શકે છે.

આ પણ વાંચોઃ પોતાના સોપારીના છોડને બચાવવા માટે ગૌરીએ ખોદ્યા કૂવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.