ETV Bharat / state

દિયોદરમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રોગચાળાની દહેશત

author img

By

Published : Aug 11, 2019, 10:06 AM IST

બનાસકાંઠા: દિયોદરમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતાં બીમારની દહેશત ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જેમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા ત્યાંથી પસાર થઈ રહેલું ગંદુ પાણી ભળતા ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોને સતાવી રહી છે. જોકે આ અંગે જાણ થતાં જ મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી.

Banaskantha

બનાસકાંઠાના દિયોદરમાં લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. અહીં મામલતદાર કચેરી પાસેથી પસાર થતી પાણીની પાઇપ લાઇન છેલ્લા બે દિવસથી તૂટી ગઈ છે અને ત્યાંથી પસાર થતું ગટરનું ગંદુ પાણી પણ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે અને આ પાઇપ લાઇનનું પાણી દિયોદર અને આજુબાજુના ગામોમાં જાય છે. ત્યારે, આ પીવાનું પાણી દૂષિત થતા અને તે પીવાના પાણીમાં ભળતા રોગચાળાની દહેશત સેવાઇ રહી છે.

દિયોદરમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રોગચાળાની દહેશત, ETV BHARAT

આ અંગે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા શનિવારે જાગૃત નાગરિકોએ જાણ કરતા દિયોદર મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક પાઇપ લાઇન રીપેર કરવા જણાવ્યું હતું. અને જો પાણી પુરવઠા વિભાગ દ્વારા તેને ગંભીરતાથી લઇ પાઈપ લાઇન રીપેર નહિં કરે તો કલેક્ટરને રજુઆત કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.

Intro:લોકેશન... દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 08 2019

સ્લગ...દિયોદર માં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા રોગચાળા ની દહેશત...

એન્કર...દિયોદર માં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતાં બીમારની દહેશત ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતા ત્યાંથી પસાર થઈ રહેલું ગંદુ પાણી ભળતા ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોને સતાવી રહી છે જોકે આ અંગે જાણ થતાંજ મામતદાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી માટે પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી.......

Body:વિઓ...બનાસકાંઠાના દિયોદર માં લોકો રોગચાળા ની દહેશત વચ્ચે જીવી રહ્યા છે અહીં મામલતદાર કચેરી પાસેથી પસાર થતી પાણીની પાઇપ લાઇન છેલ્લા બે દિવસથી તૂટી ગઈ છે અને ત્યાંથી પસાર થતું ગટરનું ગંદુ પાણી પણ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે અને આ પાઇપ લાઇન નું પાણી દિયોદર અને આજુબાજુના ગામોમાં જાય છે ત્યારે આ પીવાનું પાણી દૂષિત થતા અને તે પીવાના પાણીમાં ભળતા રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. આ અંગે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગ ને જાણ કરી હોવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં ના આવતા આજે જાગૃત નાગરિકોએ જાણ કરતા દિયોદર મામલતદાર તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક પાઇપ લાઇન રીપેર કરવા જણાવ્યું હતું. અને જો પાણી પુરવઠા વિભાગ દ્વારા આને ગંભીરતા થી લઇ પાઈપ લાઇન રીપેર નહિ કરે તો કલેક્ટર ને રજુઆત કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.........

બાઈટ... પી. એસ પરમાર
( મામલતદાર, દિયોદર )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..

( વિહાર સર જોડે સ્ટોરી પાસ કરાવેલ છે.. )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.