ETV Bharat / state

દાંતીવાડા પાસે Hit And Runની ઘટનામાં 2 પિતરાઇ ભાઈઓના મોત

author img

By

Published : Jul 19, 2021, 11:30 AM IST

બનાસકાંઠામાંં દાંતીવાડા પાસે મોડીરાત્રે હિટ એન્ડ રન (Hit And Run)ની ઘટના સામે આવી છે. જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત પછી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

બે બાઇક ચાલકના મોત
બે બાઇક ચાલકના મોત

  • દાંતીવાડા પાસે Hit And Runની ઘટના આવી સામે
  • hit and runની ઘટનામાં 2 પિતરાઈ ભાઈઓના મોત
  • એકને ગંભીર ઇજા, સારવાર અર્થેે સરકારી હોસ્પિટલ ખસેડાયો

બનાસકાંઠા : જિલ્લામાં દાંતીવાડા પાસે હિટ એન્ડ રન (Hit And Run)ની ઘટના સર્જાતાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દાંતીવાડા ખાતે રહેતા જેતાજી વેડંચીયા તથા મંગળજી વેડંચીયા તેમના પિતરાઈ ભાઈ પિન્ટુજી રોઢાતરને રામપુરા ખાતે મુકવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો : વડોદરાના માંજલપુરમાં હિટ એન્ડ રન કેસ, ઘટના સ્થળેથી લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ

અકસ્માતમાં બે યુવકનું ઘટના સ્થળે જ મોત

તે સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

દાંતીવાડા પોલીસ સ્ટેશન
દાંતીવાડા પોલીસ સ્ટેશન

આ પણ વાંચો : વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું

અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈકના બે ટુકડા થઈ ગયા હતા અને એક બાઈકનો ટુકડો ગાડી નીચે ત્રણ કિલોમીટર સુધી ઘસેડાયો હતો. જોકે, આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.