Ambaji Temple : બેસતાં વર્ષે મા અંબાને બપોરે ધરાવાશે અન્નકુટ, દર્શન આરતીના સમય જાણો

author img

By

Published : Nov 2, 2021, 3:46 PM IST

Ambaji Temple : બેસતાં વર્ષે મા અંબાને બપોરે ધરાવાશે અન્નકુટ, દર્શન આરતીના સમય જાણો
Ambaji Temple : બેસતાં વર્ષે મા અંબાને બપોરે ધરાવાશે અન્નકુટ, દર્શન આરતીના સમય જાણો ()

હિન્દુ પંચાગ અનુસાર વિક્રમ સંવત 2078ના કારતક સુદ એકમ-બેસતાં વર્ષના દિવસે શક્તિપીઠ અંબાજીના મંદિરે ( Ambaji Temple ) દર્શનાર્થીઓના ઘોડાપુર આવતાં હોય છે. ત્યારે ભક્તજનો માના દર્શન સરળતાથી કરી શકે તે માટે સમયમાં ( Ambaji Darshan time ) વધારો કરવામાં આવ્યો છે.

  • દિવાળી-બેસતા વર્ષે અંબાજીમાં ઉમટશે ભક્તોનું પૂર
  • માના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર
  • શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે સમય વધારાયો

અંબાજીઃ દિવાળીના નવા દિવસોમાં લોકોમાં તીર્થસ્થાનોએ જઇ દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. દિવાળીના તહેવારોમાં અંબાજીમાં યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. શ્રદ્ધાળુઓને મા અંબાના દર્શન ને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં ( Ambaji Temple ) બેસતાં વર્ષ એટલે કે કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ( Ambaji Darshan time ) ફેરફાર કરવામાં આવ્યો છે. મા અંબાના રોજિંદા દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

તહેવારોની સીઝનમાં ભક્તોને સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા

જાણો દર્શન આરતીના સમય

બેસતાં વર્ષના દિવસે નિજમંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત વિશેષ આરતીનું આયોજન મંદિરના વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ( Ambaji Darshan time )ફેરફાર કરવામાં આવ્યો છે.

ભોગ, દર્શન અને આરતીનો સમય

તારીખ 05/11/2021નાં બેસતું વર્ષ

સવારે મંગળા આરતી- 06.00 થી 06.30

દર્શન સવારે- 06.30 થી 10.45

બપોરે 12.00 થી 12.30 માતાજીને અન્નકુટ ધરાવી આરતી કરાશે

દર્શન બપોરે- 12.30 થી 04.15

સાંજે આરતી- 18.30 થી 19.00

અને દર્શન- 19.00 થી 23.00 સુધી ખુલ્લાં રહેશે.

તારીખ 06/11/2021 થી 09 /11/2021 લાભ પાંચમ સુધી

સવારે મંગળા આરતી-06.30 થી 07.00
દર્શન સવારે-07.00 થી 11.30
દર્શન બપોરે- 12.30 થી 16.15
સાંજે આરતી- 18.30 થી 19.00
અને દર્શન-19.00 થી 23.00 સુધી રહેશે

10/11/2021થી સવારની આરતી 07.30 કલાકની રાબેતા મુજબ રહેશે.

આ પણ વાંચોઃ કમળ પર આસન લગાવીને બેઠેલા મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું છે ધાર્મિક મહત્વ

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ટોકનદરે ભોજનાલય શરું કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.