ETV Bharat / state

સરકારને એક જ વિનંતી છે કે અમને શાળાનાં ઓરડા બનાવી આપે...!

author img

By

Published : Sep 27, 2019, 8:11 AM IST

બનાસકાંઠાઃ સારા શિક્ષણ માટે સારુ વાતાવરણ જરુરી છે. શાળાનાં સ્વચ્છ અને સુંદર ઓરડા બાળકોના અભ્યાસ ઉપર મોટી અસર પાડે છે. આટલી સામાન્ય વાત પણ સરકારને સમજાતી નથી. અને એટલે જ બનાસકાંઠાના સલીમગઢ ગામની પ્રાથમિક શાળા....શાળા નહીં ખંડેર વધારે લાગે છે. કાણાં પતરા, કમજોર દિવાલો અને ખરતા પોપડા, શાળાના આવા જર્જરીત મકાનમાં બાળકો ભણે તો ભણે કેવી રીતે?

સરકારને એક જ વિનંતી છે કે અમને શાળાનાં ઓરડા બનાવી આપે...!

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને બનાસકાંઠા જિલ્લાનાં શિક્ષણાધિકારી બે મિનિટ કાઢીને જરા આ સાંભળો કે ગુજરાતનું ભાવિ તમારી પાસે શું માંગી રહ્યું છે. શું વિનંતી કરી રહ્યો છે. શિક્ષણનું સ્તર સુધારવા ગુણોત્સવ અને પ્રવેશોત્વ કાર્યક્રમોની સાથે સારા ઓરડાની પણ જરુર હોય છે. સલીમગઢની શાળામાં અભ્યાસ કરતા આ બાળકને ભણવું છે. આગળ વધવું છે પરંતુ સરકાર એક ઓરડો તો સારો આપે....

સરકારને એક જ વિનંતી છે કે અમને શાળાનાં ઓરડા બનાવી આપે...!

2015માં કુદરતી હોનારતમાં સલીમગઢની શાળાને નુકશાન થયુ હતું. શાળાના જર્જરીત મકાનમાં બાળકોને ભણાવવા જોખમકારક છે. શાળાના શિક્ષક પરાગભાઈ પટેલે ઓરડા રિપેરીંગ માટે જિલ્લા શિક્ષણાધિકારીથી માંડી શિક્ષણપ્રધાન સુધી પોતાની વાત પહોંચાડી છે. પણ છેવટે પરિણામ તો શુન્ય જ આવ્યું. નાછુટકે બાળકોને ઓરડાની બહાર ખુલ્લામાં ભણાવવાની ફરજ પડે છે.

શાળાના આચાર્ય અને શિક્ષકોની સાથે-સાથે ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ લાગતા-વળગતા તમામ અધિકારી-પદાધિકારીઓ સુધી પોતાની સમસ્યા પહોંચાડી છે. સ્થાનિક ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં ન તો ચૂંટાયેલા નેતાને રસ છે ન તો સરકારી પગાર મેળવતા અધિકારીઓને.

બાળકોને સારા વાતાવરણમાં શિક્ષણ મળે તે માટે ગામના લોકો રજૂઆતો કરીને થાક્યા છે. સરકાર અને તંત્રનું જો આ જ પ્રકારનું વલણ રહ્યુ તો ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તો નવાઈ નહી.

Intro:એપ્રુવલ..બાય. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. કાંકરેજ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા 25 09 2019

સ્લગ..કાંકરેજ તાલુકાની સલીમગઢ પ્રાથમિક શાળા બિસ્માર શાળા....

એન્કર...-સહુ ભણે સહુ આગળ વધેના નારા સરકાર દ્વારા લગાવવમાં આવે છે અને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ શાળા પાછળ વાપરવામાં આવે છે પણ શું સરહદી ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ સુધરી છે ક્યાંક શિક્ષકો નથી તો ક્યાંક શાળાના રૂમની ઘટ છે ત્યારે આજે અમો તમને એક એવી શાળા વિષે વાત કરીયે કે શાળા તો છે પણ બાળકો ને બેસવા માટે રૂમ સલામત નથી જેના કારણે બાળકોને બહાર બેસી અભ્યાસ કરવો પડે છે આવો જોઈએ આ બિસ્માર હાલતમાં શાળા ....

Body:વીઓ....ઈત્તની શક્તિ હમે દેના દાંતા મનકા વિશ્વાસ કમજોર હોના આ છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સલીમગઢ પ્રાથમિક શાળા આ શાળા માં 1થી 8 ધોરણ આવેલ છે અને 177 જેટલા બાળકો અભ્યાસ કરે છે આ શાળાના વર્ષો થી 3 રૂમ ડેમેજ છે જેના કારણે અભ્યાસ અર્થ આવતા બાળકોને પરાવારીક મુશ્કેલી નો સામનો કરવો પડે છે ચોમાસાના સમય દરમિયાન વરસાદી પાણી પડતું હોવાથી બાળકો અભ્યાસ કરી શકતા નથી અને ઉનાળાના સમય વધારે તડકો અને ગરમી હોય તો પણ બાળકો ને ભારે પરેશાની વેઠવી પડે છે સલીમગઢની આ શાળાના આ રૂમો ની હાલત તો જોવો આ રૂમોના અંદર તિરાડો પડી ગઈ છે તો ક્યાંક પતરા પણ તૂટી ગયા છે રૂમ એક દમ ડેમેજ હોવા છતાં આજ દિન સુધી સરકારી તંત્ર દ્વારા આ ડેમજ રૂમો ને રીપેરીંગ કામ કે નવા બનાવવામાં આવ્યા નથી...

બાઈટ....1..પરાગભાઈ પટેલ ( શાળાના આચાર્ય )


બાઈટ...2..નાગજીભાઈ પટેલ ( એસ.એમ.સી, ઉપાધ્યક્ષ )

વીઓ... સલીમગઢ પ્રાથમિક શાળાના આચર્ય અને શિક્ષકો દ્વારા કાકરેજ સ્થાનિક ધારાસભ્ય થી લઇ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હોવા છતાં પણ હજુ સુધી આ બાબતે કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી શાળાના આચાર્ય અને શિક્ષકો નું કહેવું છે કે ચોમાસા સમય આ 3 રૂમો ડેમેજ હોવાથી વરસાદી પાણી પડે છે અને જેના કારણે બાળકો ના ચોપડા પણ પલડી જાય છે અમો વરસાદ માં બાળકો ને બહાર પણ બેસાડી શકતા નથી અમો એ અનેક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ....


બાઈટ....રાજુભાઈ ગજ્જર ( શિક્ષક )

બાઈટ...સુમિત ચૌધરી
( વિદ્યાર્થી )

Conclusion:વીઓ...આ બાબતે રજુઆત ને પગલે સલીમગઢ પ્રાથમિક શાળા ના 3 રૂમો ને ડેમેજ નું સર્ટી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે પણ નવા 3 રૂમો ની મંજૂરી મળી નથી બાળકો ને પરાવારીક મુશ્કેલી પડતી હોવા છતાં જિલ્લા નું શિક્ષણ વિભાગ નું તંત્ર માત્ર સહુ ભણે સહુ આગળ વધે ના નારા ફૂંકી રહું છે આવી અનેક શાળા આજે પણ સરહદી વિસ્તારમાં છે પણ હજુ સુધી કોઈ શાળા ની મરામત કરવામાં આવી નથી અગાવું પણ અનેક શાળા માં રૂમો ના મરામત માટે દિયોદર ના દેલવાડા ગ્રામજનો દ્વારા પણ શાળા ને તાળા મારી દેવામાં આવ્યા હતા પણ છતાં જવાબદાર તંત્ર આંખઆડા કાન કરી રહું છે ત્યારે ફરી એક વખત આ શાળા માટે ગ્રામજનો શાળા ને તાળા મારે તો નવાઈ નહિ ......

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.