બનાસકાંઠા: જિલ્લામાં કોરોના પ્રકોપ વચ્ચે 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. જેમાં પાલનપુરમાં 22 કેન્દ્ર પર 233 બ્લોકમાં 4,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્રારા સેનીટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
પરીક્ષામાં ગતિવિધિ અટકાવવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રખાશે. જોકે પરીક્ષાને લઈ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પરીક્ષાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે અને તેમના શરીરનું તાપમાન માપ્યા બાદ જ પરીક્ષા ખંડ માં પ્રવેશ આપવામાં આવશે . નિરીક્ષકને ડ્રો પદ્ધતિથી બ્લોકની ફાળવણી કરવામાં આવશે. જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. તેવા સમયે ગુજકેટની પરીક્ષા જાહેર થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે અને તમામ બ્લોકને સેનેટારાઈઝ કરવા સહિત તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા છે અને પરીક્ષા સમયે ગેરરીતિ રોકવા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર સજ્જ બન્યું છે.