ETV Bharat / state

બનાસકાંઠાઃ ઢીમા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Nov 21, 2020, 10:34 AM IST

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ઠાકોર સમાજની ધર્મશાળાનું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના વરદ હસ્તે લોકાપર્ણ કરાયું હતું અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો.

ઢીમા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ઢીમા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો
  • ઠાકોર સમાજની ધર્મશાળાનું લોકાપર્ણ કરાયું
  • કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

પાલનપુરઃ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ઠાકોર સમાજની ધર્મશાળાનું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના વરદ હસ્તે લોકાપર્ણ કરાયું હતું અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો

બનાસકાંઠાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

Banaskantha News
ઢીમા ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાવાવના ઢીમાં ગામે નવીન બનેલી ઠાકોર સમાજની ધર્મશાળામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણી અને રાજપૂત સમાજના આગેવાન ડી ડી રાજપૂત. વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ રબારી, સુઇગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપૂત, થરાદ કોંગ્રેસના પ્રમુખ આંબાજી સોલંકી, બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભૂપતજી ઠાકોર, પુરણસિંહ વાઘેલા અને તાલુકા પંચાયતના, સભ્ય દુદાજી રાજપૂત સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Banaskantha News
ઠાકોર સમાજની ધર્મશાળાનું લોકાપર્ણ કરાયું
ઠાકોર સમાજની ધર્મશાળાનું લોકાપર્ણ કરાયુંવાવ તાલુકાના ઢીમાં ખાતે ઠાકોર સમાજની ધર્મશાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાવના ધારાસભ્ય ગેનિબેન ઠાકોર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ફૂલ વર્ષા કરી સ્નેહ મિલનમાં આવેલા તમામ લોકોનું આભાર વિધિ અને સન્માન કરાયું હતું. ત્યારબાદ ઠાકોર સમાજની ધર્મશાળામાં બનાવેલા કમિનિટી હોલનું ગેનિબેન ઠાકોરના વરદ હસ્તે રીબીન કાપી ધર્મશાળાના કૉમ્યુનિટી હોલને ખુલ્લો મુકાયો હતો. જે બાદ ગેનિબેન ઠાકોર દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાવ પંથકમાં નાનામોટા વિકાસના કામોમાં અમે સહયોગ આપીશું. કેટલાક કામો માટે પ્રજાના હિત માટે લડત આપવી પડેતો લડત આપીશું. જોકે ખેડુતો મને નર્મદનો પ્રશ્ન હોય કે છેવાડે વિસ્તારને પીવાના પાણીનો મુદ્દો હોય સતત અમે પ્રજાના હિત માટે કામ કરતા રહીશું અને જે ઠાકોર સમાજ માટે વાવના ઢીમાધામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે બનેલી ધર્મશાળાનું ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્રારા લોકાપર્ણ કરાયું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.