ETV Bharat / state

મોડાસા યુવતિ અપમૃત્યુ મામલે બે આરોપીઓને ક્લીનચીટ

author img

By

Published : Apr 2, 2020, 11:57 AM IST

Etv Bharat, Gujarati News, Arvalli News, Modasa Police
મોડાસા યુવતિ અપમૃત્યુ મામલે બે આરોપીઓને ક્લીનચીટ મળતા જેલમુક્ત કરાયા

કોરોના વાઇરસના કહેર વચ્ચે મોડાસામાં યુવતિના અપમૃત્યુ બાબતે બે આરોપીઓને ક્લીનચીટ મળતાં જેલ મુક્ત કરવામાં આવ્યા છે.

અરવલ્લીઃ મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપમૃત્યુના કેસમાં CID ક્રાઈમે કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, પીડિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ, અપહરણ કે હત્યા અંગેના કોઈપણ પ્રકારના પૂરાવા મળ્યા નથી. જેથી ત્રણ પૈકીના બે આરોપીઓ દર્શન ભરવાડ અને જીગર પરમારને ક્લીનચીટ આપી હતી. CID ક્રાઈમની ક્લીનચીટના ૨૦ દિવસ પછી ડીસ્ટ્રીક કોર્ટે દર્શન ભરવાડ અને જીગર પરમારની “વર્ગ-સી” સમરી મંજૂર કરવાનો હુકમ કરી બંનેને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

Etv Bharat, Gujarati News, Arvalli News, Modasa Police
મોડાસા યુવતિ અપમૃત્યુ મામલે બે આરોપીઓને ક્લીનચીટ મળતા જેલમુક્ત કરાયા
આ મામલે CID ક્રાઈમે ક્લીનચીટ આપ્યા બાદ અરવલ્લી ડીસ્ટ્રીક કોર્ટે દર્શન ભરવાડ અને જીગર પરમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી “વર્ગ-સી” સમરી મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

જે બાદ મોડાસા સબજેલના જેલરને બંનેની બીજા કોઈ ગુનામાં કામે જરૂર ન હોયતો તાત્કાલિક જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.