ETV Bharat / state

મોડાસામાં આદિવાસી સમાજે ધરણાં યોજી આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Feb 6, 2020, 7:12 PM IST

આદિવાસી સમાજે ખોટા પ્રમાણપત્રો અંગેની તેમની લડતને વધુ વેગ આપ્યો છે. આદિવાસી સમાજ દ્વારા ગામડે-ગામડે અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાનાં મુખ્ય મથક મોડાસામાં આદિવાસી સમાજે ધરણાં યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.

Modasa
મોડાસા આદિવાસી સમાજ

મોડાસા/અરવલ્લી: આદિવાસી સમાજે ખોટા પ્રમાણપત્રો અંગેની તેમની લડત તેજ કરી છે. સમાજ દ્વારા ગામડે-ગામડે અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો ,તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી ભરવાડની ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને ખોટા પ્રમાણપત્રો લેનારા તથા આપનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

આદિવાસી સમાજે ધરણા યોજી આવેદનપત્ર આપ્યું
Intro:આદિવાસી સમાજે મોડાસામાં ધરણા યીજી આવેદનપત્ર આપ્યું

મોડાસા અરવલ્લી

આદિવાસી સમાજે ખોટા પ્રમાણપત્રો અંગેની તેમની લડત તેજ કરી છે. સમાજ દ્વારા ગામડે ગામડે અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે .જેમાં આદિવાસી સાંસદ, ધારાસભ્યો ,તેમજ વિવિધ પાર્ટીના નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં આદિવાસી સમાજ એ ધરણા યોજી પરંપરાગત નૃત્ય સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.



Body:મોડાસા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં, નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી ભરવાડ ની ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે . આ સાથે ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને લેનાર તથા આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

.


Conclusion:આદિવાસી સમાજના આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષથી સરકારની મિલીભગતથી આદિવાસી ન હોય તેવા લોકો પણ પ્રમાણપત્ર મેળવી આદિવાસી સમાજનો હક છીનવી રહ્યા છે . રાષ્ટ્રપતિએ આદિવાસી તરીકે ઘોષિત કર્યાં નથી તેવા લોકો ભ્રષ્ટાચાર કરી અભ્યાસ અને નોકરી ક્ષેત્રે લાભ મેળવી રહ્યા છે તેથી આદિવાસી પોતાના બંધારણીય થી વંચિત રહી જાય છે.

બાઈટ રાજેન્દ્ર પારધી જિલ્લા પંચાયત

બાઈટ બી.સી.બરંડા પૂર્વ ડી.એસ.પી અને ભાજપ નેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.