ETV Bharat / state

અરવલ્લીમાં વધુ 4 કેસ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 164 પર પહોંચ્યો

author img

By

Published : Jun 16, 2020, 9:37 PM IST

અરવલ્લી જિલ્લામાં આજે મંગળવારે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 164 થયો છે. જ્યારે કુલ-122 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 14 દર્દી મૃત્યુ પામ્યા છે.

The number of corona positive patients in Aravalli reached 164
અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 164 પર પહોંચ્યો

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 164 થયો છે. જ્યારે કુલ-122 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 14 દર્દી મૃત્યુ પામ્યા છે.

પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. સોમવારે ત્રણ પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે જે, તે વિસ્તાર COVID-19ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારમાં આરોગ્યની ત્રણ ટીમ દ્વારા કુલ-125 ઘરની 568 વ્યક્તિઓનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી દર્દીના સંપર્કમાં આવેલ કુલ-07 વ્યક્તિઓને હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યાં હતાં.

હાલમાં હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ-144 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ-797 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 1, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 15 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લી જિલ્લાના 6 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે. ભીલોડા તાલુકાના 45 વર્ષીય પુરુષ તેમજ મોડાસાના 62 વર્ષીય મહિલાની સારવાર પૂર્ણ થતાં સાર્વજનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.