ETV Bharat / state

Dhuleti 2022: શામળાજી અબીલ ગુલાલના રંગોથી રંગાયા

author img

By

Published : Mar 18, 2022, 5:33 PM IST

Dhuleti 2022: શામળાજી અબીલ ગુલાલના રંગોથી રંગાયા
Dhuleti 2022: શામળાજી અબીલ ગુલાલના રંગોથી રંગાયા

અરવલ્લીના સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજીમાં (Celebration Dhuleti at Shamlaji Temple )આજે ધુળેટીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પુજારીએ ભગવાન શામળીયાને (Dhuleti 2022)કેસુડાના ફુલો, અબીલ ગુલાલના રંગો થી રંગી ચાંદીની પિચકારી વડે ભગવાન શામળીયા પર રંગનો છંટકાવ કર્યો હતો.

અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજીમાં આજે ધુળેટીની (Shamlaji Dhuleti celebration)પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શામળીયા સાથે ધુળેટીનો પર્વ ઉજવવા પધારેલા (Dhuleti 2022) ભક્તોએ આનંદોલ્લાસ સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી.

શામળાજી મંદિરમાં ધુળેટીની ઉજવણી

મંદિરમાં ભક્તોનું ઘોડાપુર - હોળી રંગોનો તહેવાર કહેવાય છે. પરંતુ ગુજરાતમાં ધુળેટીનું પણ (Celebration Dhuleti at Shamlaji Temple )એટલું જ મહત્વ છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. આજે વહેલી સવારથી જ ભકતોએ લાંબી કતારોમાં ઊભા રહીને ભગવાન શામળીયાના દરબારમાં આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃ હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

મંદિરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું - ભગવાન શામળીયાને સોના અને હીરાનાં આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યાં હતા. પુજારીએ ભગવાન શામળીયાને કેસુડાના ફુલો, અબીલ ગુલાલના રંગો થી રંગી ચાંદીની પિચકારી વડે ભગવાન શામળીયા પર રંગનો છંટકાવ કર્યો હતો. ધુળેટીના પર્વ પર શામળાજી મંદિરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પણ વાંચોઃ Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.