બાયડઃ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કારણે ગરીબ-સામાન્યવર્ગ આર્થિક સંકટના દોરમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે વહીવટીતંત્રની સંવેદનશીલતા લોકો મુશ્કેલીનું નિવારણ કર્યુ છે. આવું જ અરવલ્લીની બાયડની વિધવા મહિલાઓને સહાયની સાથે રાશનકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
![The Aravalli administration gave ration kits to 28 widows woman of Bayad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-widow-ration-photo1-gj10013jpeg_14062020183318_1406f_1592139798_634.jpeg)
![The Aravalli administration gave ration kits to 28 widows woman of Bayad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-widow-ration-photo1-gj10013jpeg_14062020183318_1406f_1592139798_659.jpeg)
અરવલ્લીના બાયડ તાલુકાના લાખેશ્વરી અને હેરાવિસ્તારની સરણીયા, કાંસકીયા, થોરી, દેવીપૂજક અને વાલ્મિકી સહિત સમાજના અન્ય પછાત વર્ગની નિરાધાર વિધવાઓને કોરોનાના કપરા સમયે આર્થિક ઉપાર્જનનું કોઇ સાધન ન રહેતા તંત્ર તેમની વ્હારે આવી ગરીબ મહિલાઓને વિધવા સહાય આપવાવામાં આવી હતી. આ સાથે જ તમામ મહિલાઓને ઘરવપરાશની ચીજવસ્તુઓની રાશનકીટ પણ આપવામાં આવી હતી.
![The Aravalli administration gave ration kits to 28 widows woman of Bayad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-widow-ration-photo1-gj10013jpeg_14062020183318_1406f_1592139798_1084.jpeg)