ETV Bharat / state

ભરતસિંહ સોલંકીએ આપવું પડશે બાહીધરી પત્ર, શું બિલ્ડરની કાર્યવાહી યોગ્ય!

author img

By

Published : Jun 5, 2022, 2:10 PM IST

ભરતસિંહ સોલંકીએ આપવું પડશે બાહીધરી પત્ર, શું બિલ્ડરની કાર્યવાહી યોગ્ય!
ભરતસિંહ સોલંકીએ આપવું પડશે બાહીધરી પત્ર, શું બિલ્ડરની કાર્યવાહી યોગ્ય!

રાજકારણમાં અતિ ચર્ચિત બનેલ ભરતસિંહ સોલંકી (Viral Video Of Bharatsinh Solanki) અને તેમના પત્નીના ગૃહકલેશનો વાઇરલ થયેલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે, ત્યારે જે પ્રોપર્ટીમા આ ઘટના ઘટી હતી તે પ્રોપર્ટીના બિલ્ડર સાઇડની બદનામીને લઈને ચિંતિત બન્યા હતા.

આણંદ: રાજકારણમાં ચર્ચિત બનેલ ભરતસિંહ સોલંકી અને તેમના પત્નીના ગૃહકલેશનો વાઇરલ થયેલ વીડિયો (Viral Video Of Bharatsinh Solanki) હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે, ત્યારે જે પ્રોપર્ટીમા આ ઘટના ઘટી હતી તે પ્રોપર્ટીના બિલ્ડર સાઇડની બદનામીને લઈને ચિંતિત બન્યા હતા.

ભરતસિંહ સોલંકીએ આપવું પડશે બાહીધરી પત્ર, શું બિલ્ડરની કાર્યવાહી યોગ્ય!

આ પણ વાંચો: Dancing Doctor : આ ડોક્ટર દવાથી નહિ પરંતુ આવી રીતે કરે છે રોગોનું નિદાન

ભરતસિંહ સોલંકીનો વીડિયો થયો હતો વાઇરલ : આણંદ વિદ્યનગર રોડ પર મોતી કાકાની ચાલી પાસે આકાર પામી રહેલી આશ્રય નામની સોસાયટીમાં આવેલ મકાન નંબર 55માં કૉંગ્રેસના દિગ્ગજ નેતાને તેમની જ પત્ની રેશમા પટેલએ દ્વારા અન્ય યુવતી સાથે ઝડપી લીધા બાદ થયેલ વિવાદનો વિડિયો વાઇરલ થયો છે. જે બાદ આ સાઈટના બિલ્ડર અને તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓ ચિંતિત બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાને કારણે તેમની સાઈટ પર કોઈ અસર ના થાય : મિડિયા સાથેની વાતચીતમાં સાઈટના સિવિલ એન્જીનીયર નરેશ રાઠોડ દ્વારા જણાવવમાં આવ્યું હતું કે, સમગ્ર ઘટન તેમની સાઇટમાં બની તેને લઈને ખૂબ ચિંતિત છે. આ ઘટનાને કારણે તેમની સાઈટ પર કોઈ અસર ના થાય તેમાટે તેમણે આ મકાનના લાઈટ અને પાણી ગટરના જોડાણ હાલ કાપી નાખવાના હોવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો: ભારત પર્યાવરણની સુરક્ષા માટે નવા સંશોધનો માટે દબાણ કરી રહ્યું છેઃ પીએમ મોદી

સોસાયટીના બીઈલ્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી : નરેશ રાઠોડના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં મકાન માલિક મહિલા પાસેથી એફિડેવટ (બાહેધરી પત્ર) લઈને તેમને મિલકતમાં આવવા માટે અનુમતિ આપવામાં આવશે. અંદાજિત 6 માસ અગાઉ આ મકાન કોઈ સોલંકી અટકની મહિલા દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે બાદ ભરતસિહ સોલંકી ઘણીવાર આ મકાને મુલાકાતે આવતા જતા હતા બિલ્ડરના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં તેમને હતું કે, મહિલા સોલંકી અને ભરતસિંહ સોલંકી વચ્ચે કોઈ પારિવારિક જ્ઞાતિ કિય સંબંધ હશે, પરંતુ આ સ્થળે તેમની પત્ની દ્વારા કરવામાં આવેલ હોબાળાના વાઇરલ થયેલ વિડિયો બાદ સમગ્ર બાબતે ધ્યાન જતા હવે સોસાયટીના બીઈલ્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.