ETV Bharat / state

વિદ્યાનગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને સિન્ડિકેટ સભ્ય આમને સામને

author img

By

Published : Aug 17, 2019, 2:26 AM IST

આણંદ : વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભાનો માહોલ ગરમાયો હતો. યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સેલર વચ્ચે યુનિવર્સિટીમાં ચાલતા ગેર વહીવટને લઈ બહુમતીના જોરે સિન્ડિકેટ બેઠકમાં લેવાયેલ નિર્ણયનો અલ્પેશ પુરોહિત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

etv bharat anand

વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવેલા અલ્પેશ પુરોહિતને યુનિવર્સિટીમાં મળેલ સિન્ડિકેટની બેઠકમાં એક વર્ષ સુધી પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સિલર શિરીષ કુલકર્ણી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલુ થયો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી દ્વારા જણાવ્યા મુજબ અલ્પેશ પુરોહિત દ્વારા યુનિવર્સિટી અને વહીવટી માળખા ઉપર વારંવાર કરવામાં આવતા ભ્રષ્ટાચાર ના આક્ષેપ અને કોઈ આધાર પુરા રજૂ કર્યા સિવાયના માત્ર આક્ષેપોના આધારે કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લેતા સિન્ડિકેટ સભામાં માત્ર બે સિન્ડિકેટ સભ્યોને છોડતા બાકીના સર્વસંમતિ એ અલ્પેશ પુરોહિતને એક વર્ષ સુધી સભામાં હાજર ન રહેવા દેવા ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.

વાઇસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલ્પેશ પુરોહીતને મળેલ P.H.Dની પદવીનો પણ તેઓ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકશે નહીં. તેમને મળેલ P.H.Dની પદવી માટે તેમણે યુનિવર્સિટીમાં ફરીથી એક વર્ષની અંદર થીસિસને સબમિટ કરવાની રહેશે જેવો કમિટી દ્વારા નિર્ણય લેવાની પણ તેમણે જાણકારી આપી હતી.એક તરફ અલ્પેશ પુરોહીત યુનિવર્સિટીમાં ચાલતા ગેરવ્યાજબી વહીવટ તથા ભ્રષ્ટાચાર થી કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા જેવા અનેક મુદ્દાઓ પર યુનિવર્સિટી અને તેના વહીવટીતંત્ર પર આક્ષેપ કરવામાં આવે છે.

વિદ્યાનગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને સિન્ડિકેટ સભ્ય આમને સામને

વિદ્યાનગર યુનિવર્સિટીનો બહુચર્ચિત P.H.D ગોટાળો જેને લઇ મળેલી સિન્ડીકેટ સભામાં માહોલ ગરમાયો હતો. અલ્પેશ પુરોહીત દ્વારા માત્ર વિદ્યાર્થી અને માર્ગદર્શકને સજા આપી સમગ્ર ઘટના ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. P.H.Dની પ્રવેશ પ્રક્રિયાથી લઇ વિવાદિત વિદ્યાર્થીને P.H.Dની પદવી એનાયત થયા સુધીની પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ ઉપર યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરી નિષ્પક્ષ કમિટી બનાવી તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ વિષય પર બીજી તરફ વિવાદિત વિદ્યાર્થી રોનક સોનારા તથા માર્ગદર્શક યજ્ઞેશ દલવાડીને ઉચિત સજા થયેલ હોવાનું રટણ વાઇસ ચાન્સિલર દ્વારા કરવામાં આવી રહ્યું છે.શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.

Intro:વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી માં શુક્રવારના રોજ મળેલ સિન્ડીકેટ સભા નો માહોલ ગરમાયો હતો યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સેલર વચ્ચે યુનિવર્સિટીમાં ચાલતા ગેર વહીવટને લઈ અવારનવાર થતી ચમક ના કારણે બહુમતીના જોરે સિન્ડિકેટ બેઠકમા લેવાયેલ નિર્ણય નો અલ્પેશ પુરોહિત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


Body:વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવેલ અલ્પેશ પુરોહિતને યુનિવર્સિટીમાં મળેલ સિન્ડિકેટ ની બેઠક માં એક વર્ષ સુધી પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અલ્પેશ પુરોહિત અને વાઇસ ચાન્સિલર શિરીષ કુલકર્ણી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ નો દોર ચાલુ થયો છે.

અલ્પેશ પુરોહિત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે સિન્ડિકેટ સભ્ય તરીખે ચૂંટાઈ ને આવ્યા છે અને સિન્ડિકેટ ની બેઠક માં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા નો ઠરાવ કરવાનો અધિકાર ક્યાં નિયમ મુજબ કરવામાં આવ્યો તેના ખુલાસા માંગતા સવાલ અલ્પેશ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો હતો.

સરદાર પટેલ યુનિવર્સિટી ના વર્તમાન વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી દ્વારા જણાવ્યા મુજબ અલ્પેશ પુરોહિત દ્વારા યુનિવર્સિટી અને વહીવટી માળખા ઉપર વારંવાર કરવામાં આવતા ભ્રષ્ટાચાર ના આક્ષેપ અને કોઈ આધાર પુરા રજૂ કર્યા શિવાય ફક્ત આક્ષેપો ના આધારે કરવામાં આવતી રજૂઆતોને ધ્યાને લેતા સિન્ડિકેટ સભામાં ફક્ત બે સિન્ડિકેટ સભ્યો ને છોડતા બાકીના સર્વસંમતિ એ અલ્પેશ પુરોહિતને એક વર્ષ સુધી સભામાં હાજર ન રહેવા દેવા ઠરાવ પાસ કરવામાં આવ્યો છે વધુમાં વાઇસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અલ્પેશ પુરોહીત ને મળેલ પી.એચ.ડી.ની પદવી નો પણ તેઓ એક વર્ષ સુધી ઉપયોગ કરી શકશે નહીં અને તેમને મળેલ પીએચડીની પદવી માટે તેમણે યુનિવર્સિટીમાં ફરીથી એક વર્ષની અંદર થિશીસ ને સબમિટ કરવાની રહેશે જેવો કમિટી દ્વારા નિર્ણય લેવાની પણ તેમણે જાણકારી આપી હતી

એક તરફ અલ્પેશ પુરોહીત યુનિવર્સિટીમાં ચાલતા ગેરવ્યાજબી વહીવટ તથા ભ્રષ્ટાચાર થકી કરવામાં આવતી ટેન્ડર પ્રક્રિયા જેવા અનેક મુદ્દાઓ પર યુનિવર્સિટી અને તેના વહીવટીતંત્ર પર આક્ષેપ કરવામાં આવે છે અને બીજી તરફ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા અલ્પેશ પર ખોટા આક્ષેપ કરવાના નામે એક વર્ષ માટે મુકવામાં આવેલ સિન્ડિકેટ બેઠકના પ્રતિબંધ પર, આગળ કેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે તે તો આવનાર સિન્ડિકેટ બેઠકમાં ઉજાગર થઈ શકે તેમ છે...


Conclusion:વિદ્યાનગર યુનિવર્સિટી નો બહુચર્ચિત પીએચડી ગોટાળો જેને લઇ શુક્રવારના રોજ મળેલ સિન્ડીકેટ સભામાં માહોલ ગરમાયો હતો તે વિષય પર પણ અલ્પેશ પુરોહીત દ્વારા ફક્ત વિદ્યાર્થી અને માર્ગદર્શક ને સજા આપી સમગ્ર ઘટના ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમના ના જણાવ્યા અનુસાર પીએચ.ડી.ના પ્રવેશ પ્રક્રિયા થી લઇ વિવાદિત વિદ્યાર્થીને પીએચડીની પદવી એનાયત થયા સુધી ની પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ ઉપર યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરી નિષ્પક્ષ કમિટી બનાવી તેની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે તો આ વિષય પર બીજી તરફ વિવાદિત વિદ્યાર્થી રોનક સોનારા તથા માર્ગદર્શક યજ્ઞેશ દલવાડી ને ઉચિત સજા થયેલ હોવાનું રટણ વાઇસ ચાન્સિલર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આમ એક તરફ કહી શકાય કે શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે....


બાઈટ : પ્રો શિરીષ કુલકર્ણી(વાઇસ ચાન્સિલર સરદાર પટેલ યુનિવર્સિટી)

બાઈટ: અલ્પેશ પુરોહિત (સિન્ડિકેટ સભ્ય સરદાર પટેલ યુનિવર્સિટી)

(approved by viharbhai)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.