ETV Bharat / state

Anand Latest News: રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

author img

By

Published : Apr 2, 2023, 1:04 PM IST

ગુજરાત સરકારની મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત બોરસદ તાલુકાના કઠોલથી તાડિયાપુરા જતા માર્ગ પર અંદાજિત રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Anand Latest Newsઃ આણંદમાં અંદાજીત રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત
Anand Latest Newsઃ આણંદમાં અંદાજીત રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત

આણંદઃ ગુજરાત સરકારની મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત બોરસદ તાલુકાના કઠોલથી તાડિયાપુરા જતા માર્ગ પર અંદાજિત રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

ગુજરાત સરકાર દ્વારા બજેટની ફાળવણીઃ આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, ગામના લોકોને ચોમાસા દરમિયાન જવા આવવા માટે તકલીફ ના પડે તે માટે હયાત કોઝવે પર અંદાજીત રૂપિયા 6 કરોડના ખર્ચે 80 મીટર લાંબા અને 7 મીટર પહોળાઈના બ્રિજના નિર્માણ થકી લોકોને આવાગમનમાં વધુ સરળતા થશે. રમણ સોલંકીએ વધુમા ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય માણસના જીવન ધોરણ સુધારવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવાની સાથે-સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરી રહી હોવાનું જણાવી આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ બજેટની ફાળવણી કરી આમ જનતાને અનેક વિકાસ કાર્યો ભેટ આપવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે

મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાઃ આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની ચિંતા કરીને સરકાર ગામડાના અંત્યોદય સુધી સુવિધાઓ-યોજનાઓ પહોંચાડી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે ભારતને વિશ્વ ફલક પર સન્માન મળી રહ્યું હોવાનું જણાવી આપણો દેશ આજે ઇકોનોમીમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે બોરસદ પ્રાંત અધિકારી જય બારોટ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ ધરમદેવસિંહ ડાભી, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ KCR on Farmer suicides: તેલંગાણામાં ખેડૂતોની આત્મહત્યા ઘટી છે, આખા દેશમાં આ સ્થિતિ હોવી જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.