ETV Bharat / state

આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ

author img

By

Published : Mar 24, 2021, 8:56 PM IST

આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ
આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ

ભારતમાં 28 જાન્યુઆરી 2009ના રોજ દેશના નાગરિકો માટે 12 અંકોના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર સાથેનું ઓળખપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આધારકાર્ડ નામ આપવામાં આવ્યું હતું. આજે દેશમાં દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શાળામાં પ્રવેશ મેળવવો હોય કે પછી બેન્કમાં બચત ખાતું ખોલાવવું હોય દરેક જગ્યાએ આ ઓળખપત્રનું વિશેષમાં કરવામાં આવતી હોય છે.

  • જિલ્લામાં કુલ 14 કેન્દ્રો કલેક્ટર ઓફિસ અંતર્ગત છે કાર્યરત
  • માસિક 10 હજારથી વધુ અરજીઓ આવે છે
  • નવા આધાર કાર્ડ કરતા સુધારણાની અરજીઓ વધુ મળે છે
  • આણંદ જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા પણ કરવામાં આવે છે કાર્યવાહી
  • કમિશ્નર મહીલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર (icds jilla panchayat anand) દ્વારા થાય છે નિરીક્ષણ
  • જિલ્લા પંચાયતના 28 કેન્દ્રો છે કાર્યરત

આણંદઃ ભારતમાં 28 જાન્યુઆરી 2009ના રોજ દેશના નાગરિકો માટે 12 અંકોના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર સાથેનું ઓળખપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આધારકાર્ડ નામ આપવામાં આવ્યું હતું. આજે દેશમાં દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શાળામાં પ્રવેશ મેળવવો હોય કે પછી બેન્કમાં બચત ખાતું ખોલાવવું હોય દરેક જગ્યાએ આ ઓળખપત્રનું વિશેષમાં કરવામાં આવતી હોય છે. જેના કારણે દરેક સત્તાવાર વ્યવહાર માટે આધાર કાર્ડ પ્રાથમિક દસ્તાવેજ બની ગયો છે. પછી ભલે તે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવે અથવા શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવે દરેક જગ્યાએ આધારકાર્ડનું વિશેષ મહત્વ બની ગયું છે. આધારકાર્ડની મદદથી સરકાર સરળતાથી લાભાર્થીની માહિતી મેળવી શકે છે અને સાચા લાભાર્થી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં તંત્રને સરળતા ઉભી કરી રહ્યું છે.

આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ

આ પણ વાંચોઃ જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી

દેશમાં એક ઝુંબેશના સ્વરૂપે આધારકાર્ડ કાઢવામાં આવ્યા

શરૂઆતમાં દેશમાં એક ઝુંબેશના સ્વરૂપે આધારકાર્ડ કાઢવામાં આવ્યા હતા. જેમાં સરકારી આધાર કેન્દ્રો અને ઘણા ખાનગીક્ષેત્રોમાં પણ આધાર કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હત. જ્યાં જરૂરી દસ્તાવેજ સાથે નાગરિકો આ મહત્વપૂર્ણ દસ્તાવેજ મેળવી શકતા હતા અને પોતાને નોંધણી કરવા અથવા પહેલાથી જારી કરેલા કાર્ડ્સમાં સુધારો કરવા માટેની કામગીરી કરી શકતા હતા. જે હવે ફક્ત કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત દ્વારા કાર્યરત કેન્દ્રો પર આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે પહેલા આધાર સેવાઓ ખાનગી જગ્યાઓથી સંચાલિત સરકારી ડિજિટલ સેવાઓના એજન્ટો દ્વારા વિસ્તૃત કરવામાં આવતી હતી.

આણંદ
માસિક 10 હજારથી વધુ અરજીઓ આવે છે

જિલ્લામાં 14 આધાર કેન્દ્રો સેવામાં હોવાની જાણકારી જવાબદાર અધિકારીએ આપી

આણંદ જિલ્લામાં કલેક્ટર ઓફિસ સંચાલિત 14 આધાર કેન્દ્રો સેવામાં હોવાની જાણકારી જવાબદાર અધિકારીએ આપી હતી. જેના રોજના 30થી 40 અરજીઓ આવતી હોવાની જાણકારી મળી હતી. આણંદ જિલ્લામાં 14માંથી હાલ 12 કેન્દ્રો કાર્યરત છે જેમાં ગત માસમાં કુલ 8,932 જેમાંથી 1,250 અરજીઓ નવા આધાર કાર્ડ માટે મળી હતી જ્યારે 7,682 અરજીઓમાં બાયોમેટ્રિક અપડેટ અથવા ડેમો અપડેટ (નામ, અટક, સરમાંનું, જન્મતારીખ)ના સુધારા માટેની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 10 ટકાનો ઘટાડો

આણંદ જિલ્લા પંચાયતની icds કચેરી દ્વારા પણ 28 કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા

આણંદ જિલ્લા પંચાયતની icds કચેરી દ્વારા પણ 28 કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. જે કમિશ્નર મહીલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર (icds jilla panchayat anand)ના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં આવેલા 16 બ્લોક જેમાં આણંદ તાલુકામાં 4, ઉમરેઠ તાલુકાના 2, પેટલાદ તાલુકાના 2, સોજીત્રા તાલુકાના 1, બોરસદ તાલુકાના 3, ખંભાત તાલુકાના 2, તારાપુર તાલુકાના 1, અને આંકલાવ તાલુકાના 1, બ્લોકનો સમાવેશ થાય છે. જેમાં કુલ 28 કીટ (આધાર કેન્દ્રો)છે, જેમાંથી 27 કીટ કાર્યરત છે.

જિલ્લામાં કુલ 14 કેન્દ્રો કલેક્ટર ઓફિસ અંતર્ગત છે કાર્યરત
જિલ્લામાં કુલ 14 કેન્દ્રો કલેક્ટર ઓફિસ અંતર્ગત છે કાર્યરત

ICDS દ્વારા ફેબ્રુઆરી 2020થી આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવામાં આવી

ICDS દ્વારા ફેબ્રુઆરી 2020થી આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં કુલ 71,058 આધાર કાર્ડની અરજીઓનો નિકાલ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં જિલ્લામાંથી ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 0થી 6 વર્ષના બાળકોના આધારકાર્ડ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે પ્રમાણે જિલ્લામાં આધાર કાર્ડ માટેની કામગીરી અને અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે તે પ્રમાણે તંત્ર પણ સજ્જ જણાઈ રહ્યું છે. જિલ્લામાં નવા કાર્ડની અરજીઓ કરતા નીકળેલા કાર્ડમાં સુધારા માટેની અરજીઓ વધુ આવી રહી છે.

આધાર કાર્ડની પ્રથમ કાર્યવાહી વિનામૂલ્યે કરવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડની પ્રથમ કાર્યવાહી વિનામૂલ્યે કરવામાં આવે છે અને ત્યાર બાદના ફેરફાર માટે સરકારે મીડિફિકેશન ચાર્જ નિયત કરેલા છે. જેમાં બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા અને ડેમો અપડેટ (અરજદારની માહિતી) માટે 50 રૂપિયાના નિર્ધારિત ચાર્જ લેવામાં આવે છે. આમ આણંદ જિલ્લામાં આધાર કેન્દ્રો માટે તંત્રની ઉભી કરેલી વ્યવસ્થા અરજદારો માટે સહુલત પૂરી પાડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.