આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરાઈ

author img

By

Published : Apr 25, 2020, 12:42 PM IST

t Sub-Registrar's Office Tarapur
t Sub-Registrar's Office Tarapur ()

આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં આજથી દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરવામાં આવી છે.

આણંદઃ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 23 એપ્રિલ 2020ના રોજ રાજયની નગરપાલિકા તથા મહાનગર પાલિકા સિવાયની એટલે કે ગ્રામ્ય વિસ્તારની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણીની પ્રકિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જે અન્વયે રાજ્ય સરકારે નીચેની શરતોને આધિન સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણીની પ્રકિયા શરૂ કરવા જણાવવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરની કચેરીમાં નોંધણીની પ્રકિયા આજરોજ તા 24 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવી છે. જે તારાપુર ખાતે શરૂ થનાર સબ-રજીસ્ટ્રાર કચેરીમાં શરતો તથા તમામ સુચનાઓ અને જોગવાઈનું પાલન કરવાનું રહેશે.

સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડર કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે જણાવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડરોએગરવી વેબસાઇટ(http://garvi.gujrat.gov.in) માં ઇ-પેમેન્ટ અને દસ્તાવેજ ઓનલાઇન એપોઇનમેન્ટ મેળવવાની રહેશે.

દસ્તાવેજ નોંધવણી કરાવવા માટેની જરૂરી સૂચના....

  • ઇ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલી દસ્તાવેજની જ નોંધણી થઇ શકશે.
  • પક્ષકારો એ નોંધણી માટે ઓનલાઇન એપોઇનમેન્ટ ફરજીયાત લેવાની રહેશે.
  • ઇન્ડેક્ષ નકલ-દસ્તાવેજની ખરી નકલ-તથા શોધરીપોર્ટ માટેની સુવિધા સરકાર તરફથી બીજી સુચના ન આપવામાં આવે ત્યા સુધી બંધ રહેશે.
  • દસ્તાવેજ નોંધણી માટે અંગુઠાનું નિશાન-બાયોમેટ્રીક પધ્ધતિ તેમજ વિડિયો રેકોડીગ સહિતની હાલની પ્રથા ચાલુ રહેશે.
  • દરેક પક્ષકારે ફરજીયાત માસ્ક પહેરીને કચેરીમાં આવવાનું રહેશે. માસ્ક સિવાયના અરજદારોને કચેરીમાં પ્રવેશ મળશે નહી.
  • દરેક પક્ષકારે કચેરી બહાર સેનીટાઇઝેશનથી હાથ સાફ કરી કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે.
  • દસ્તાવેજની નોંધણી માટે સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવાનું રહેશે.
  • હાલ પુરતુ ફકત દસ્તાવેજની નોંધણીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • બે વ્યકિત વચ્ચે ઓછામા ઓછુ -6(છ) ફુટ નું અંતર રાખવાનું રહેશે.

    ઉપરોકત શરતો તથા તમામ સુચનાઓ અનેજોગવાઇઓનું પાલન સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડર પાલન કરવાનું રહેશે. તેમ નાયબ કલેકટર(સ્ટેમ્પ ડ્યુટી) નોંધણી નિરીક્ષક ‌આણંદની યાદીમાં જણાવાયુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.