ETV Bharat / state

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

author img

By

Published : Sep 16, 2019, 10:45 PM IST

આણંદઃ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB) ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવી હતી. NDDB દ્વારા 7 દિવસમાં 27 શાળાના 5000 જેટલા બાળકોને ગિફ્ટ દૂધના પાઉચ આપી પોષણયુક્ત આહાર માટે જાગૃત કરવા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

દૂધ એ સંપૂર્ણ આહાર છે અને દૈનિક દૂધને આહારમાં લેવાથી અનેક પ્રકારના વિટામીન અને પોષક તત્વો દૂધમાંથી પ્રાપ્ત થઈ રહે છે. જેથી ભારત સરકાર દ્વારા ચાલુ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ દૂધના સેવનથી પોષણ મેળવવામાં ખૂબ જ સરળતા ઉપલબ્ધ થાય. કેમ કે, જાગૃતતા લાવવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ રથ દ્વારા સાત દિવસની પોષણ જાગૃતિ અભિયાનને એનડીડિબી મુખ્યાલય ખાતેથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આણંદ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
ભારત સરકારના નવા અભિગમને જન-જન સુધી પહોંચાડવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ દ્વારા ચાલુ કરાઇ હતી. આ અભિયાનમાં આણંદ અને આસપાસના વિસ્તારની ૨૭ જેટલી શાળાઓના પાંચ હજાર કરતાં વધુ બાળકોને ગિફ્ટ મિલ્ક એટલે કે, પોષણયુક્ત દૂધ પૌષ્ટિક આહાર માટે અને કુપોષણથી ભારતને મુક્ત કરવા માટેની જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

NDDBના ચેરમેન દિલીપ રથ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક રીતે ઉપલબ્ધ આહારને પ્રચલિત કરવાથી તે આપણી ભવિષ્યની પેઢીના સેવનના વિકલ્પને પ્રભાવિત કરશે અને ક્લાઈમેટ ચેન્જના યુગમાં આપણી નબળી કૃષિ આહાર પ્રણાલીનું રક્ષણ કરવા ઉપરાંત આપણા ખેડૂતોને ફાયદો પહોંચાડશે. આ દિશામાં લેવામાં આવેલ પ્રત્યેક નાનું ડગલું આપણને આવનાર વર્ષોમાં ભારત દેશને કુપોષણથી મુક્ત બનાવવાના મિશનને સિદ્ધ કરવા સ્થિરપણે નિકટ દોરી જશે.

કુપોષણની સમસ્યાને દેશમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યને હાંસિલ કરવા માટે એનડીડીબીએ એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યૂટ્રિશન (એન એફ એન )ની સ્થાપના કરી છે. જેથી સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક દૂધ પૂરું પાડી શકાય. સામાન્ય રીતે ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારના બાળકોમાં કુપોષણના લક્ષણો જોવા મળતા હોય છે. આ કાર્યક્રમમાં ચાલુ દિવસે સરકારી શાળાના પ્રત્યેક બાળકને 200 મિલી ફ્લેવરવાળું અને ટોન કરેલું દૂધ પૂરું પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. એન ડી ડી બી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાંથી સાત રાજ્યોમાં લગભગ ૪૮ હજાર બાળકોને અંદાજે 70 લાખ યુનિટ દૂધનું વિતરણ કરી દેવામાં આવ્યુ હતું.


Intro:રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB) દ્વારા ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય પોષણ માસ ની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવી,NDDB દ્વારા 7 દિવસ માં 27 સ્કૂલ ના 5000 જેટલા બાળકોને ગિફ્ટ મિલ્ક ના દૂધ ના પાઉચ આપી પોષણ યુક્ત આહાર માટે જાગૃત કરવા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું .


Body:દૂધ એ સંપૂર્ણ આહાર છે અને દૈનિક દૂધને આહારમાં ઉપયોગ લેવાથી અનેક પ્રકારના વિટામીન અને પોષક તત્વો દૂધમાંથી પ્રાપ્ત થઈ રહે છે જેથી ભારત સરકાર દ્વારા ચાલુ કરાયેલ રાષ્ટ્રીય પોષણ માસ દૂધના સેવનથી પોષણ મેળવવામાં ખૂબ જ સરળતા ઉપલબ્ધ થાય કેમકે જાગૃતતા લાવવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ના ચેરમેન દિલીપ રથદ્વારા સાત દિવસની પોષણ જાગૃતિ અભિયાનને આજે એનડીડિબી મુખ્યાલય ખાતે થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

ભારત દેશમાં કુપોષણ તે બાળકોમાં ઊંચો વૃદ્ધિદર માટે મુખ્ય કારણભૂત સમસ્યા છે મહત્વના આ પોષક તત્વોની અપુરતા સેવનને કારણે કુપોષણની સમસ્યા સામાન્ય રીતે ઉભી થતી હોય છે જેના લક્ષણોમાં બાળકોમાં વજનની ઘટતા તથા ઉંમર પ્રમાણે અવિકસીત બાળકો મુખ્યત્વે કુપોષણના શિકાર હોવાની પ્રાથમિક ધરણાં દેશમાં કરવામાં આવે છે એનએમએસ મુજબ આપણા દેશમાં પાંચ વર્ષથી ઓછી વયના ૩૬ ટકા બાળકો ની યાદ કરતા ઓછું વજન ધરાવે છે અને 38 ટકા બાળકો નાના કદના અવિકસીત બાળકો છે જે દેશના ભાવિ માટે ખૂબ જ જોખમી અને ચિંતાજનક આંકડાઓ છે જેને દૂર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે.

ભારત સરકારના આ નવા અભિગમને જન-જન સુધી પહોંચાડવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન દિલીપ દ્વારા ચાલુ કરાય અભિયાનમાં આણંદ અને આસપાસના વિસ્તારની ૨૭ જેટલી શાળાઓના પાંચ હજાર કરતાં વધુ બાળકોને ગિફ્ટ મિલ્ક એટલે કે પોષણયુક્ત દૂધ નવી 3 કરી અને પૌષ્ટિક આહાર માટે અને કુપોષણથી ભારતને મુક્ત કરવા માટે ની જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે


Conclusion:NDDB ના ચેરમેન દિલીપ રથ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક રીતે ઉપલબ્ધ આહારને પ્રચલિત કરવાથી તે આપણી ભવિષ્યની પેઢી ના સેવન ના વિકલ્પ ને પ્રભાવિત કરશે અને ક્લાઈમેટ ચેન્જ ના યુગમાં આપણી નબળી કૃષિ આહાર પ્રણાલી નું રક્ષણ કરવા ઉપરાંત આપણા ખેડૂતોને ફાયદો પહોંચાડશે.આ દિશામાં લેવામાં આવેલ પ્રત્યેક નાનું ડગલું આપણને આવનાર વર્ષોમાં ભારત દેશને કુપોષણથી મુક્ત બનાવવા ના મિશનને સિદ્ધ કરવા સ્થિરપણે નિકટ દોરી જશે.


કુપોષણની સમસ્યા ને દેશમાંથી દૂર કરવા ના ઉદ્દેશ્યને હાસિલ કરવા માટે એનડીડીબી એ એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યૂટ્રિશન (એન એફ એન )ની સ્થાપના કરી છે. જેથી સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક દૂધ પૂરું પાડી શકાય. સામાન્ય રીતે ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારના બાળકોમાં કુપોષણના લક્ષણો જોવા મળતા હોય છે.. આથી સૌપ્રથમ એન.ડી.ડી.બી દ્વારા વિવિધ કોર્પોરેટ કંપનીઓને સીએસઆર એક્ટિવિટી થકી ગિફ્ટ મિલ્ક પ્રોગ્રામ નું સંચાલન કરાવી આ તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ચાલુ દિવસે સરકારી શાળાના પ્રત્યેક બાળકને 200 મિલી ફ્લેવર વાળું અને ટોન કરેલું દૂધ પૂરું પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ એન ડી ડી બી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાં થી સાત રાજ્યોમાં લગભગ ૪૮ હજાર બાળકોને અંદાજે 70 લાખ યુનિટ દૂધનું વિતરણ કરી દેવામાં આવ્યુ છે.


બાઈટ : દિલીપ રથ (NDDB ચેરમેન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.