ETV Bharat / state

આણંદ ભાજપ સંગઠને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં દેખાડો કર્યો

author img

By

Published : May 6, 2021, 2:18 PM IST

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી ભડકેલી હિંસામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર થયેલા હિંસક હુમલાનો રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે આણંદ ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં સૂત્રોચ્ચાર સાથે દેખાડો કરવામાં આવ્યો હતો. આણંદમાં બે જુદા-જુદા કાર્યક્રમોમાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રમુખ દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાના દેખાડામાં સાંસદ મિતેશ પટેલ દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો
આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો

  • પશ્ચિમ બંગાળમાં થેયેલા હિંસક હુમલાઓનો વિરોધ
  • ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરાયુંં
  • કરમસદમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શન યોજાયા હતા

આણંદ : પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર શરૂ થયેલા હુમલાની ઘટનાઓ પછી રાષ્ટ્રીય રાજકારણ પ્રભાવિત થયું છે. પશ્ચિમ બંગાળ થયેલા હુમલામાં કેટલાક કાર્યકરોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો આ ઘટનામાં ભોગ બન્યા છે. ગુજરાતના રાજકારણમાં આ ઘટનાના વિરોધમાં ગતિવિધિ તેજ થઈ છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ કક્ષાએ વિરોધ પ્રદર્શન અને ધારણાઓ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ ભાજપ સંગઠન દ્વારા આણંદ નગરપાલિકા બહાર પંડિત દીનદયાળની પ્રતિમા પાસે અને આણંદ લાઇબ્રેરી બહાર મમતા બેનરજીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને તાલુકા કક્ષાના દેખાવમાં સાંસદસભ્ય મિતેશ પટેલે નેતૃત્વ કર્યું હતું.

આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો
આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો
આ પણ વાંચો : કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ સરકાર પર ધરણા કરવા બાબતે આકરા પ્રહાર કર્યા
આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો
આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો

બંગાળમાં ટી.એમ.સી. સતત જાતિવાદનું રાજકારણ કરી રહી
આ કાર્યક્રમ અંગે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલાની ઘટનામાં 28 જેટલા કાર્યકર્તાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે,પશ્ચિમ બંગાળમાં ટી.એમ.સી. સતત જાતિવાદનું રાજકારણ કરી રહી છે અને બદલાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હિંસક હુમલા કરી રહી છે તેના વિરોધમાં આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સદસ્યો દ્વારા મમતા બેનરજીના વિરોધથી સાથે સૂત્રોચાર સાથેનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપે યોજ્યા ધરણા

સરકારના જાહેરનામામાં કરેલી જોગવાઇઓનું ચુસ્તપણે પાલન સાથે વિરોધ પ્રદર્શ કરાયું

રાજ્યમાં લાગુ કરેલા સરકારના જાહેરનામાના ઉલ્લંઘનની ફરિયાદો પણ સ્થાનિક સ્તરે ઉઠવા પામી હતી. તેના અનુસંધાનમાં વિપુલ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માત્ર પાંચ જેટલા હોદ્દેદારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારના જાહેરનામામાં કરેલી જોગવાઇઓનું ચુસ્તપણે પાલન સાથે કોઈના નિયમોનું પણ આ વિરોધ પ્રદર્શનમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. લોકશાહી જ્યાં મરી રહી છે, ત્યાં વિરોધ કરવોએ બંધારણીય હક છે. આમ, આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના જાહેરનામાનો ભંગ કર્યો નથી.

આણંદમાં ભાજપ સંગઠને હિંસાના વિરોધમાં દેખાડો કર્યો

હોદ્દેદારોએ મમતા બેનરજીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
આણંદ તાલુકા કક્ષાએ થયેલા પ્રદર્શનમાં સંસદસભ્ય મિતેશ પટેલના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મીડિયા સમક્ષ તેમણે મમતા બેનરજી પર આકરા પ્રહાર કરતા બંગાળની હિંસક હુમલાની ઘટનાઓને વખોડી હતી. આણંદ જિલ્લામાં આણંદ શહેર સહિત પેટલાદ, ઉમરેઠ કરમસદમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શન યોજાયા હતા. જેમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારોએ મમતા બેનરજીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.