ETV Bharat / state

Atiq Ahmed: સાબરમતી જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવનાર માફિયા અતીકના સાગરિતો કોણ ? કેમ કાર્યવાહી હજી સુધી નથી થઈ?

author img

By

Published : Apr 24, 2023, 5:11 PM IST

યુપીના ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી છે. પરંતુ ગુજરાતની સાબરમતી જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અતીક અહેમદને જેલની અંદર સુવિધાઓ આપનારા લોકો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ક્યાં લોકોએ તેની મદદ કરી તે હજુ સુધી બહાર આવ્યું નથી. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને જેલ ડીજી આ અંગે માહિતી આપશે.

સુરત:
સુરત:

મામલાની તપાસ કરવામાં આવશે અને જેલ ડીજી આ અંગે માહિતી આપશે.

સુરત: ઉત્તર પ્રદેશથી હજારો કિલોમીટર દૂર સાબરમતી જેલમાં બેસીને પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદની હત્યા થઈ ગઈ છે, પરંતુ જેલની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી તેની મદદ કરનાર લોકો કોણ હતા? જેલની કડક ચાર દીવાલોની અંદર અતીકનો પ્રેમી કોણ છે કે જેઓ એક ગેંગસ્ટરની મદદ કરી રહ્યા હતા. આખરે એ લોકો કોણ હતા જેઓ એક ગેંગસ્ટરને તમામ પ્રકારની સગવડો પૂરી પાડતા હતા. જેથી તે ગુજરાતમાં બેસીને ઉત્તર પ્રદેશમાં પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો? જેલમાં બેસીને તે કઈ રીતે ઉત્તર પ્રદેશમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યો હતો? આખરે ઉમેશ પાલ હત્યા કેસમાં તેણે કઈ રીતે અને કોની મદદથી તેની ભૂમિકા બનાવી?

અતીક અહેમદને મદદ કરનારા લોકો કોણ: એવા ઘણા સવાલ છે જેના જવાબો આજ સુધી સામે આવ્યા નથી. અતિક અહેમદને સાબરમતી જેલમાંથી લગભગ 2 વખત ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તે સાબરમતી જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો. જો કે અતીક અહેમદની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે તેવા રાજ્યમાં સાબરમતી જેલમાં અતીક અહેમદને મદદ કરનારા લોકો કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી અને કહેવાય છે કે ગુજરાતની જેલમાં પરિંદા પણ પંખ મારી શકે નહીં તો કુખ્યાત ગેંગસ્ટરને મદદ કોણ કરી રહ્યું હતું? આ પ્રકરણમાં તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે લોકો હત્યાકાંડમાં સામેલ હતા પરંતુ જે જેલમાંથી હત્યાકાંડની પ્લાનિંગ કરવામાં આવી ત્યાં હજી સુધી જવાબદાર કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

શું કહ્યું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ: આવા અનેક પ્રશ્નો ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યા ત્યારે તેમણે વધુ માહિતી આપી ન હતી, પરંતુ તેમણે ચોક્કસ કહ્યું હતું કે જ્યારે પણ કોઈ વિષય સામે આવે છે ત્યારે તે વિષયની તપાસ કરવામાં આવે છે અને જેલ ડીજી દ્વારા આ અંગે જવાબ આપવામાં આવશે. જ્યારે આરોપ સામે આવે છે, પછી તે આરોપની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અધવચ્ચે કોઇપણ પ્રકારનું નિવેદન આપવું જરૂરી નથી, તપાસ પૂર્ણ થયા બાદ જેલ ડીજી દ્વારા જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો: Atiq-Ashraf Murder: સુપ્રીમ કોર્ટ અતીક-અશરફની હત્યાની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજી પર 28 એપ્રિલે કરશે સુનાવણી

ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું: યુપીના સૌથી મોટા માફિયા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ માર્યો ગયો. તે ઘણા મહિનાઓથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. ત્યાંથી તેણે ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને અંજામ આપ્યો. હવે તે ત્યાંથી જ ખંડણીનું રેકેટ પણ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. તેણે તેના પુત્રો દ્વારા ગુંડાગીરી ચાલુ રાખી હોવાનું ચેટમાંથી બહાર આવ્યું છે. તેણે એક બિલ્ડર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને તેમાંથી તેને 80 લાખ રૂપિયા મળ્યા હતા.

આ પણ વાંચો: Umeshpal Murder Case: અહીં ઘડાયુ ઉમેશ પાલની હત્યાનું કાવતરું, CCTVમાં અતીકનો પુત્ર અસદ અને શૂટર્સ દેખાયા

સુરત જેલની અંદર કેદીઓએ આગ લગાવી હતી: 24 માર્ચની રાત્રે રાજ્ય સરકારે જેલની અંદર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ મોકલીને તપાસ કરી હતી, ખાસ કરીને સુરતની સેન્ટ્રલ જેલમાં, અહીંથી ડ્રગ્સ અને મોબાઈલ સહિતની ઘણી વસ્તુઓ મળી આવી હતી અને કેદીઓએ બેરેકમાં આગ પણ લગાવી દીધી હતી. ઘણા દિવસોથી આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ કર્મચારી કે અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.