ETV Bharat / state

Unemployment in Gujarat: 23 માર્ચે રાજ્યના યુવાનોને બોલાવી વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસ

author img

By

Published : Mar 9, 2022, 6:50 PM IST

બેરોજગારી મુદ્દે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી (Congress Press Conference )હતી. સરકાર દ્વારા જાહેર કરેલા બજેટમાં સરકારી ભરતીનો કોઈ ઉલ્લેખ(Unemployment in Gujarat) કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં 4.50 લાખ સરકારી નોકરી ખાલી પડી છે. 23 માર્ચે રાજ્યના યુવાનોને બોલાવી વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

Unemployment in Gujarat: બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું રાજ્ય સરકાર પર આકરું વલણ
Unemployment in Gujarat: બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું રાજ્ય સરકાર પર આકરું વલણ

અમદાવાદ: બેરોજગારી મુદ્દે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની પ્રેસ સંયુક્ત પ્રેસ કરવામાં (Congress Press Conference ) આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં નવી કોઈ સરકારી ભરતી વાત કરવામાં આવી નથી તેવા આક્ષેપ પણ સરકાર કરવામાં આવ્યા હતા. ગુજરાતના યુવાનોને ખૂબ જ મોટી આશા હતી કે આ બજેટમાં કોઈ ભરતી (Unemployment in Gujarat) મુદ્દે કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે.

બેરોજગારી મુદ્દે કોંગ્રેસ

ગુજરાતમાં 4.50લાખ સરકારી જગ્યા ખાલી પડી છે: હાર્દિક પટેલ

ગુજરાત સરકારની સરકારી ભરતી કરવામાં માટે કોઈ પણ પ્રકારની તૈયારી(Government jobs to young people) જોવા મળતી નથી. જેના કારણે કોંગ્રેસ દ્વારા આવનાર દિવસમાં વિશાળ સંમેલન કરવામાં આવશે. ગુજરાતમાં 4.50 લાખ નોકરી (Gujarat Budget)ખાલી પડી રહી છે. ભાજપ સરકારના શાસનમાં(Bharatiya Janata Party) પરીક્ષા પહેલા જ પેપર લીક થયા છે. પેપર લીક ન થાય તેવો કાયદો લાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી કોંગ્રેસ વિધાન સભામાં પણ આ કાયદો લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવશે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં એક જ વાર પેપર લીક થતા જેતે અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત સરકાર એવું કરવાની તૈયાર જ નથી.

ગુજરાતમાં 9-10 લાખ શિક્ષિત બેરોજગાર છે: હાર્દિક પટેલ

વાઇબ્રન્ટના માટે ગુજરાતમાં તાયફા કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી કેટલી કંપની સાથે MOU કરવામાં આવ્યાં છે. પણ યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી જેના કારણે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારો સંખ્યા 9-10 લાખ છે. 31 માર્ચ સુધી વિધાનસભામાં રોજગારી આપવામાં ન આવે કે પેપર લીક ન થાય તે કાયદો ન લેવામાં નહિ આવે તો આગામી સમય ગુજરાતના યુવાનો લઈ 31 માર્ચના રોજ ગાંધીનગરમાં એકત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Tour: PM મોદી 11 માર્ચે સવારે 11 વાગ્યે પહોંચશે અમદાવાદ, રોડ શૉ સહિતના કાર્યક્રમો જાણો

છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ લોકો બેરોજગાર બન્યા: જીજ્ઞેશ મેવાણી

ભાજપ સરકારના છેલ્લા 7 વર્ષમાં 8 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે પણ રોજગારી આવવાની વાત કરવામાં આવી નથી. લાખો યુવાનો બેરોજગાર છે તેમ છતાંસરકારનું પેટનું પાણી હલતું નથી. ગુજરાતમાં મનરેગામાં લાખો યુવાનો અરજી કરી છે. 100 દિવસની જગ્યાએ મનરેગામાં 200 દિવસ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

ગુજરાતનો યુવાન વડાપ્રધાનને પણ રોજગારી મુદ્દે સવાલ કરી રહ્યો છે: જીજ્ઞેશ મેવાણી

આગામી 28 માર્ચે ચાલો ગાંધીનગરના સૂત્ર સાથે વિધાન સભાનો ઘેરાવો કરવામાં આવશે. પેપર લીક થયા છે તેના પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ગુજરાતનો યુવાન હવે નરેન્દ્ર મોદીને પણ રોજગાર મુદ્દે સવાલ કરી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 20 થી 22 પેપર લીક થયા છે. વિધાનસભાના સત્રમાં પણ સવાલ કરવામાં આવે છે. તેમ છતાં સરકારને કોઈ ફરક પડતો નથી. કોંગ્રેસ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી હતી કે 8-10 અધિકારી નિમણુંક કરવામાં આવે જે પેપર લિક પર તપાસ કરવામાં આવે. હવે ગુજરાતનો યુવાન એકજુથ બની સરકાર સામે આવાજ કરવામાં આવશે. ગુજરાતના અલગ અલગ ગામ, તાલુકા, જિલ્લામાંથી યુવાનો આવશે.

રાજ્યના નાગરિક માટે કોંગ્રેસ જેલમાં જવા પણ તૈયાર

તલાટીની ભરતીમાં માત્ર 3,000 જગ્યામાં 22 લાખ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષ સુધી કાયમી પટ્ટાવાળાની ભરતી કરવામાં આવી નથી. રાજ્યની શાળામાં વ્યાયામ, સંગીત શિક્ષક નથી.ગુજરાત રાજ્યના નાગરિકો માટે કોંગ્રેસ જેલમાં જવા પણ તૈયાર છે.

આ પણ વાંચોઃ Rahul Gandhi at GPCC Chintan Shibir: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં ચિંતન શિબિરમાં આવ્યાં, દ્વારકાધીશના દર્શન કર્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.