ETV Bharat / state

તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પૂલ ખુલશે

author img

By

Published : Oct 12, 2020, 8:40 PM IST

કોરોનાના કારણે મોટા ભાગની રમત ગમતની પ્રવૃત્તિઓ, અભ્યાસ અને સ્પર્ધા સદંતર ઠપ્પ થઈ ગયા છે. અનલૉકની જાહેરાત બાદ કેટલીક રમતો અને સ્પર્ધકોને છૂટ આપવામાં આવી છે. હવે 15મી ઓક્ટોબરથી તરવૈયાઓ અભ્યાસ કરી શકશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગમાં ભાગ લેતા સ્પર્ધકો પ્રેક્ટિસ કરી શકશે.

તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે
તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે

અમદાવાદઃ રમત ગમત ક્ષેત્ર નામના મેળવેલા અસંખ્ય ખેલાડીઓ કોરોનાની મહામારીમાં અભ્યાસ વગર મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કારણ કે, કેટલીક રમતોમાં ચોક્કસ મેદાન, માહોલ અને આધુનિક સાધનોની જરૂર પડે છે. એમાં પણ મોટી સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને લંબાઈ અને સારા પૂલની જરૂર પડે છે.

તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે
તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે

અનલૉકની જાહેરાત બાદ 15 ઓક્ટોબરથી જે તરવૈયા સ્પર્ધાઓમાં ભાગ લેવાની તૈયારીઓ કરવા માગતા હોય એમના માટે સ્વિમિંગ પૂલ ખોલી નાખવામાં આવશે.

તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે
તરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ ખુલશે

શહેરના 'સેવ્વી સ્વરાજ' પાસે આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગપૂલને સ્વચ્છ કરવાની તેમજ સ્પર્ધા માટેના અભ્યાસ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લબો અને મોટા રમત સંકુલમાં આવેલા સ્વિમિંગ પૂલ પણ તરવૈયા માટે લેન તેમ જ અન્ય સગવડો માટે સજ્જ થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.