ETV Bharat / state

Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત

author img

By

Published : May 7, 2023, 2:22 PM IST

Updated : May 7, 2023, 5:42 PM IST

રવિવારે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે જે તે કેન્દ્ર પર પહોંચ્યા હતા. જોકે, આ વખતે પરીક્ષાનું પેપર લાંબું હોવાનું ઉમેદવારોનું કહેવું છે. રાજ્યના કુલ 2697 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત
Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત

તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો

અમદાવાદ: આજે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. રાજ્યના 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 8.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેને લઈને પોલીસ અને તંત્ર દ્વારા ખાસ પ્રકારનું આયોજન પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.

ખાસ તકેદારી રખાઈઃ તલાટીની પરીક્ષામાં 3400 થી વધુ જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ રહી હોય અને કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય અને પેપર લીકની ઘટના ન બને તેના માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની તૈયારી કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓ માટે પણ પોલીસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ચેકિંગ કરાયું હતુંઃ તમામ પરીક્ષાઓને ફ્રિસન્કિંગ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો હતો. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન અને સાડી કાંડા ઘડિયાળ સિવાયની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતા. અમદાવાદમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે 422 કેન્દ્રો પર દોઢ લાખ ઉમેદવાર પરીક્ષા આપી હતી. જ્યારે UGC NEET ના 22 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.

આ પણ વાંચોઃ

  1. NEET Exam 2023: મેડિકલ વિદ્યાર્થીઓએ ઘરની બહાર નીકળતા પહેલા આ બાબતોનું
  2. Talati Exam 2023 : ઉમેદવારોની બોડી વોર્ન કેમેરાથી તપાસ કરાશે, મલ્ટી પર્પઝના 4 ઉમેદવારોને નિમણુકપત્ર ન અપાયાં
  3. Talati Exam : તલાટીના પરીક્ષાર્થીઓ માટે એસટી તંત્ર એ 4500 એક્સ્ટ્રા બસોનું કર્યું આયોજન

કેવું રહ્યું પેપરઃ તલાટીની પરીક્ષા આપીને બહાર આવેલા ઉમેદવારો દ્વારા પરીક્ષા સારી ગઈ હોય તે બાબત જણાવવામાં આવી હતી, જોકે પેપર થોડુંક લાંબુ હોય તે પ્રકારની વાત પણ પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પહેલા કોઈપણ પ્રકારની પેપર લીકની ઘટના પ્રકાશમાં ન આવતા તમામ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સરકારનો આભાર માન્યો હતો.

ખાસ વ્યવસ્થાઃ પેપરને લઈને પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે રીતે બોર્ડના પ્રશ્નોપત્રને સુરક્ષા સાથે લઈ આવવા અને લઈ જવામાં આવે છે એવી રીતે આ પરીક્ષાના પ્રશ્નપત્રો પણ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પુરતો પોલીસ બંદોબસ્ત હોવાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.

Last Updated : May 7, 2023, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.