ETV Bharat / state

Vaccination campaign in Gujarat: ગુજરાતમાં રસીકરણ અભિયાનના બ્રહમાસ્ત્રને મળી સફળતા, રાજ્યમાં 9,46,60,282 લોકોએ વેક્સિનના ડોઝ લીધા

author img

By

Published : Jan 16, 2022, 4:17 PM IST

દેશમાં કોરોનાની પ્રથમ લહેરના (Corona first wave) અંતે વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી હતી. આ સાથે દેશમાં સ્વ-વિકસિત વેક્સિનનું (Co vaccine india) સફળ પરિક્ષણ કરાયા બાદ રાજ્યની હોસ્પિટલોમાં ફ્રન્ટલાઈન મેડિકલ કર્મીઓના રસીકરણની (Covid Vaccination In Gujarat) શરૂઆત થઈ હતી. આ મુહિમને પગલે આજે રાજ્યમાં 9,46,60,282 લોકોને વેક્સિનના ડોઝ (Gujarat Vaccination Status) અપાઇ ચુક્યાં છે. જાણો તેમાં ક્યા- કયા વયજૂથનો સમાવેશ છે?

Covid Vaccination In Gujarat:  વેક્સિનેશન અભિયાન તીર હેઠળ, ગુજરાતમાં 9,46,60,282 લોકોએ વેકસિનના ડોઝ લીધા
Covid Vaccination In Gujarat: વેક્સિનેશન અભિયાન તીર હેઠળ, ગુજરાતમાં 9,46,60,282 લોકોએ વેકસિનના ડોઝ લીધા

અમદાવાદ: કોરોનાની પ્રથમ લહેરના (Corona first wave) અંતે વૈજ્ઞાનિકોના પ્રયાસના લીધે દેશમાં સ્વ-વિકસિત વેક્સિન (Co vaccine india) આવી ચૂકી હતી. એક વર્ષ પહેલા રાજ્યની હોસ્પિટલોમાં ફ્રન્ટલાઈન મેડિકલ કર્મીઓના રસીકરણની (Covid Vaccination In Gujarat) શરૂઆત થઈ હતી. આ રસીકરણ અભિયાનના મુહિમને પગલે આજે રાજ્યના મોટા ભાગના લોકોએ રસીના બન્ને ડોઝ (Gujarat Vaccination Status) લઈ લીધા છે.

રોજનું લાખો લોકોનું રસીકરણ

રાજ્યમાં દિનપ્રતિદિન એક લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહ્યી છે. દેશમાં ચાલી રહેલા વેકિસન અભિયાન (Vaccination campaign Gujarat) હેઠળ 60 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝનમાંથી મોટા ભાગના લોકો વેકસીનેટ થઈ ચૂક્યા છે, ત્યારે હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે. આ સંજોગોમાં વેક્સિનેશન અભિયાન હેઠળ 15 થી 18 વર્ષના ટીનેજર્સને વેક્સિન આપવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

મોટાભાગના લોકોએ વેક્સિન લઇ લીધી

કોરોના સામે લડવા માટે દેશમાં છોડાયેલા વેક્સિનના તીર હેઠળ અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 19, 68, 910 હેલ્થકેર ફ્રન્ટલાઈન કર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે 19,30,217 કર્મીઓને બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત કુલ 5,16,861 લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ચૂક્યો છે.

રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના 1,77,87,175 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ

રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના 1,77,87,175 લોકોને વેકસિનનો પ્રથમ ડોઝ અને 1,70,65,532 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત 18-45 વર્ષના વયજુથમાં સમાવેશ થતા કુલ 2,82,58,586 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે, જયારે 2,50,18,695 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. આ સાથે 15થી 18 વર્ષની વયજુથના 21,16, 306 ટીનેજર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.

રાજ્યની પોણા ભાગની વસ્તી કોરોનાથી થતા મૃત્યું સામે સુરક્ષિત

રાજ્યમાં 90 ટકાથી વધુ પુખ્ત લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા છે. 4.5 કરોડ જેટલી વસ્તીને વેક્સિનના બન્ને ડોઝ મળી ગયાં છે તેમજ 15 વર્ષથી ઉપરના 90 ટકાથી વધુ રજીસ્ટર્ડ કિશોરોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.

આ પણ વાંચો:

જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે

Vaccination campaign: સર મુબારક દરગાહ ધંધુકા ખાતે મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.