ETV Bharat / state

આ સરપંચે ગ્રામજનોમાં જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન કરાવી કરી માનવ સેવા

author img

By

Published : Nov 19, 2019, 11:55 PM IST

અમદાવાદ: તાજેતરમાં જ દિવાળીના તહેવારો પૂરા થયા છે. આ તહેવારો દરમિયાન દરેક ગુજરાતીઓ ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવા માટે મન મૂકીને પૈસા વાપરતાં જોવા મળે છે. ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાઈ દ્વારા સમાજ માટે એક ઉત્કૃષ્ટ અમે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. તેઓએ જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન કરાવી આપ્યા હતા.

સરપંચે કરી માનવ સેવા

યોગેશભાઇએ દિવાળીના તહેવારોમાં ફરવા જવા માટે ખૂબ જ મોટી અને બહોળી રકમ પોતાના પરિવાર માટે વાપરવાની તૈયારી હતી, પરંતુ તેમણે પરિવારના મનોરંજનને એક બાજુએ રાખીને બીજી તે રકમ નો સદઉપયોગ કરી શકાય અને વળી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તે હેતુથી પોતાના જ ગામના છ ગ્રામજનો જેઓને આંખે દેખાતું ઓછું થઈ જવાથી તેમને ડોક્ટરે મોતિયો આવેલો હોવાનું કહેવાથી ઓપરેશન કરાવવાની તાતી જરૂર હતી. તેઓનો સંપર્ક કરી તેમને સ્વખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગામમાંથી લાવવા લઈ જવાની તેમજ ઓપરેશન, દવાઓ તેમજ તેમને જમવાનો ખર્ચ તેમણે ઉપાડીને આ વૃદ્ધ ગ્રામજનોના મોતિયાના ઓપરેશન સ્વખર્ચે કરાવ્યા હતા.

જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન

યોગશભાઈના જણાવ્યા મુજબ તે પોતાના મોજશોખ માટે ખોટા ફાલતુ પૈસા વાપરવા કરતા આ પૈસાનો સદઉપયોગ કર્યો અને લોકોને પણ આ ઉદાહરણમાંથી પ્રેરણા લઈને અન્યોની સેવા કરવા અપીલ કરી હતી. તમામ દર્દીઓ હાલ ખૂબ જ સ્વસ્થતાથી કોઈનો પણ સહારો લીધા વગર પોતાની આંખે જોઈ શકે છે.

Intro: તાજેતરમાં જ દિવાળીના તહેવારો પૂરા થયા છે. ત્યારે આ તહેવારો દરમિયાન દરેક ગુજરાતીઓ ખુબ જ ધામધૂમથી અને દિવાળીના ભવ્ય રીતે ઉજવણી કરવા માટે મન મૂકીને પૈસા વાપરતાં જોવા મળે છે.


Body:ત્યારે આજરોજ ગાંધીનગરના પાસે આવેલા કોબા ગામ ના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ એ સમાજ માટે એક ઉત્કૃષ્ટ અમે ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે યોગેશભાઇએ દિવાળીના તહેવારોમાં ફરવા જવા માટે ખૂબ જ મોટી અને બહોળી રકમ પોતાના પરિવાર માટે વાપરવાની તૈયારી હતી, પરંતુ તેમણે પરિવારના મનોરંજનને એક બાજુએ રાખીને બીજી બાજુ આ જ રકમ નો સદુપયોગ કરી શકાય. અને વળી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તે હેતુથી પોતાના જ ગામના છ ગ્રામજનો, કે જેવો ને આંખે દેખાતું ઓછું થઈ જવાથી તેમને ડોક્ટરે મોતિયો આવેલો હોવાનું કહેવાથી ઓપરેશન કરાવવાની તાતી જરૂર હતી. તેઓનો સંપર્ક કરી તેમને સ્વખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગામમાંથી લાવવા લઈ જવાની તેમજ ઓપરેશન, દવાઓ તેમજ તેમને જમવા સુદ્ધાં નો ખર્ચ તેમણે ઉપાડીને આ વૃદ્ધ ગ્રામજનોના મોતિયાના ઓપરેશન સ્વખર્ચે કરાવ્યા હતા.


Conclusion:આમ તેમના જણાવ્યા મુજબ તે પોતાના મોજશોખ માટે ખોટા ફાલતુ વપરાય પૈસા વાપરવા કરતા આ પૈસાનો સદુપયોગ કર્યો, અને લોકોને પણ એક આ ઉદાહરણમાંથી પ્રેરણા લઈને અન્યની પણ સેવા થઇ શકે. અને આજે તેઓ ખૂબ જ સ્વસ્થતાથી કોઈનો પણ સહારો લીધા વગર પોતાની આંખે જોઈ શકે છે. તેથી વિશેષ મારા માટે ખુશી અને આનંદ ના સમાચાર કોઈ હોઈ ન શકે, અને મને ખૂબ જ સંતોષ છે કે મેં આવું તમામ કાર્ય કર્યું છે.
એપ્રુવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.