ETV Bharat / state

અમદાવાદના ફોટોગ્રાફરના કેમેરામાં સુંદર રીતે કેદ થયું બનારસ

author img

By

Published : May 25, 2019, 9:40 PM IST

અમદાવાદ

અમદાવાદ: શહેરને હેરીટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં આર્ચર ગેલેરી ખાતે એક્સહિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના ફોટોગ્રાફર વિવેક દેસાઈ કે, જેણે પોતાને ‘લેન્સ-મેન’ તરીકે નામ આપ્યું છે. તેઓેએ એક્સહિબીશનનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ બનારસને ફોટોગ્રાફ્સમાં કેદ કર્યું હતું. તેમજ અંદાજે 200 જેટલા ફોટોગ્રાફ્સમાં બનારસને કેદ કર્યું હતું.

ફોટોગ્રાફર વિવેક દેસાઈ આ ફોટો સંગ્રહને લઈને કહે છે કે, ‘બનારસ- ધ શ્વાસ લેગસી’ ફોટોગ્રાફ્સનો એક ઉત્તમ સંગ્રહ છે. જેના દ્વારા હું તમને નાની ગલીઓ અને ઘાટ તરફ લઈ જાઈશ જે બનારસથી કાશીમાં પરિવર્તિત થાય છે. તેઓ જણાવે છે કે," ૧ જાન્યુઆરી 2001 ના રોજ જયારે બનારસની ધરતી પર પગ મુક્યો ત્યારે ખબર નહોતી કે આ યાત્રા એક આધ્યાત્મિક વાંકું સાથે ગૂંથાતી જશે. બનારસ સચ્ચાઈ અને સપનાની વચ્ચે ક્યાંક વસતું શહેર છે. બનારસને સમજવું અઘરું છે. બનારસના ચાર રસ્તે જિંદગીની ઈચ્છાઓ ગોળ ગોળ ફર્યા કરે છે. કોઈ એને પકડી લે છે તો કોઈ ખાલી હાથે પાછો ફરે છે"

અમદાવાદના ફોટોગ્રાફરે બનારસને ફોટોગ્રાફ્સમાં કર્યું કેદ

આમ આ બાબતે ફોટોગ્રાફર વિવેક દેસાઈએ તેના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ આ એક્સહિબીશનમાં ૨૦૦ ફોટોગ્રાફ્સ છે. જેમાં આખું બનારસ કેદ થયું છે. આ એક્સહિબીશન ૩૧ મે સુધી સવાર ના ૧૧ થી સાંજ ના ૭ સુધી ખુલ્લું રહેશે.

R_GJ_AHD_17_25_MAY_2019_BANARAS_ EXHIBITION_ ISHANI_PARIKH    

શહેરના ફોટોગ્રાફર વિવેક દેસાઈ એ બનારસને ફોટોગ્રાફ્સમાં કર્યું કેદ.

અમદાવાદ:

વિવેક દેસાઈએ પોતાને માટે એક લેન્સ-મેનના નામ તરીકે નામ આપ્યું છે.તેમણે ઘણાં બધા ક્ષેત્રોમાં કામ કર્યું છે. કચ્છ, ડાંગ અને અમદાવાદના જીવનના સામાજિક-સાંસ્કૃતિક દસ્તાવેજીકરણ બનારસના વ્યાપક રૂપે વખાણાયેલી ફોટોગ્રાફી માટે.

બનારસ- ધ શ્વાસ લેગસી, ફોટોગ્રાફ્સનો એક ઉત્તમ સંગ્રહ છે જેના દ્વારા વિવેક દેસાઈ અમને નાની ગલીઓ અને ઘાટ તરફ લઈ જાય છે જે બનારસથી કાશીમાં પરિવર્તિત થાય છે.તેઓ જણાવે છે કે," ૧ જાન્યુઆરી,૨૦૦૧ ના જયારે બનારસની ધરતી પાર પગ મુક્યો ત્યારે ખબર નહોતી કે આ યાત્રા એક આધ્યાત્મિક વાંકું સાથે ગૂંથાતી જશે. બનારસ સચ્ચાઈ અને સપના ની વચ્ચે ક્યાંક વસ્તુ શહેર છે. બનારસ ને સમજવું અઘરું છે કે સપનું શું અને સચ્ચાઈ શું? બનારસના ચાર રસ્તે જિંદગીની ઈચ્છાઓ ગોળ ગોળ ફર્યા કરે છે. કોઈ એને પકડી લે છે તો કોઈ ખાલી હાથે પાછો ફરે છે."

આ એક્સહિબીશનમાં ૨૦૦ ફોટોગ્રાફ્સ છે જેમાં આખું બનારસ કેદ કર્યું છે વિવેક દેસાઈ એ. આ એક્સહિબીશન ૩૧ મે સુધી ખુલ્લું છે રોજ સવાર ના ૧૧ થી સાંજ ના ૭ સુધી, આર્ચર ગેલેરી, નવરંગપુરા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.