ETV Bharat / state

ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા 31મીએ કેવડિયા ખાતે PM મોદીના 3 કાર્યક્રમ

author img

By

Published : Oct 24, 2022, 11:00 AM IST

ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા 31મીએ કેવડિયા ખાતે PM મોદીના 3 કાર્યક્રમ
ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા 31મીએ કેવડિયા ખાતે PM મોદીના 3 કાર્યક્રમ

કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની (rashtriya ekta diwas) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા આ દિવસે વડાપ્રધાનના છેલ્લા ત્રણ (Gujarat Election announcement) કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં જાહેર થાય (Gujarat Election announcement) તેવી શક્યતા છે. કારણ કે, 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ કેવડિયા સ્ટેચ્યૂ ઑફ યુનિટી (statue of unity kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની (rashtriya ekta diwas) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. અહીં પરંપરા મુજબ પરેડ સાથે એકતા દિવસની (ekta diwas parade) ઉજવણી કરવામાં આવશે.

સરદાર જયંતિએ વિવિધ કાર્યક્રમ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાતમાં ત્રણ કાર્યક્રમ છે. જોકે, ચૂંટણીની જાહેરાત (Gujarat Election announcement) પહેલા વડાપ્રધાનના આ છેલ્લા કાર્યક્રમ ગણાશે. તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેવડિયા ખાતે (statue of unity kevadia) આઈએએસ પ્રોબેશનર્સને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે યોજાશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી બપોરે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે જાહેરસભાને સંબોધશે.

PM થરાદમાં કરશે ખાતમુહૂર્ત આ વખતે વડાપ્રધાન (PM Narendra Modi) થરાદમાં 4 યોજનાનું ખાતમુહૂર્ત અને ત્રણ યોજનાઓની માત્ર જાહેરાત (Gujarat Election announcement) કરશે. ખાતમુહૂર્ત થનારી આ ચારેય યોજના સિંચાઈને લગતી છે. તેમાં 1,566 કરોડ રૂપિયાની કસરા દાંતીવાડા નર્મદા પાઈપલાઈન યોજના, 191 કરોડ રૂપિયાની ડિંડરોલની મુક્તેશ્વર ડેમ સુધીની નર્મદા પાઈપલાઈન યોજના, નર્મદા નિગમની 88 કરોડ રૂપિયાની 32 કિલોમીટરની સુઈગામ નર્મદા બ્રાન્ચ કેનાલ અને 13 કરોડ રૂપિયાની કાંકરેજ દિયોદર પાટણ માટે પાણી પૂરવઠા બોર્ડની યોજના સામેલ છે.

આ યોજનાની જાહેરાત થશે જ્યારે મોઢેરા મોટી ધાઉ હયાત પાઈપલાઈન મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી લંબાવવાની 550 કરોડ રૂપિયાની યોજના, 145 કરોડ રૂપિયાના ખર્ચે બાલારામ નદી ઉપરના ડેમમાંથી પાણી લઈ મલાણી તળાવ સહિત 13 તળાવો ભરવાની યોજના અને 126 કરોડ રૂપિયાની સાંતલપુરના ઊંચાઈ પરના 11 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજનાની વડાપ્રધાન જાહેરાત (Gujarat Election announcement) કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.