નિત્યાનંદ આશ્રમના સાધકો પોતાનો માલ સામાન, નિત્યાનંદના ફોટા અને પૂજાનાં સામાન સહિત બધી જ વસ્તુઓ આશ્રમથી લઇ જઇ રહ્યાં છે. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે જ્યારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી છે.
હાથીજણ ખાતેનો નિત્યાનંદ આશ્રમ ખાલી કરી સાધકો બેંગલુરુ જવા રવાના
અમદાવાદ: જિલ્લાના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીતે બેંગલુરુની યુવતી ગુમ થઈ હતી. જેનો વિવાદ એટલો વકર્યો છે કે, ડીપીએસ શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. જેથી આશ્રમને કેમ્પસ ત્રણ મહિનામાં ખાલી કરવાની નોટિસ ફટકારી છે. સોમવાર સવારથી જ આ આશ્રમનાં સાધકો અને બાળકો બે બસમાં બેસીને આ આખો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ સાધકોને પોલીસનું રક્ષણ આપીને બેંગલુરૂના આશ્રમમાં ખસેડવામાં આવી રહ્યાં છે.
નિત્યાનંદ આશ્રમના સાધકો પોતાનો માલ સામાન, નિત્યાનંદના ફોટા અને પૂજાનાં સામાન સહિત બધી જ વસ્તુઓ આશ્રમથી લઇ જઇ રહ્યાં છે. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે જ્યારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી છે.
Conclusion: