ETV Bharat / state

સિંહ નહીં તો પાણી નહીં, મધ્યપ્રદેશ સરકારની ધમકી બાદ નીતિન પટેલનો વળતો જવાબ

author img

By

Published : Jul 29, 2019, 7:17 PM IST

અમદાવાદ: થોડા સમય પહેલા મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતમાં પાણી નહીં આપવામાં આવે તેવું નિવેદન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે નર્મદાના નીર બાદ સિંહના મુદ્દે બંને સરકાર સામ-સામે આવી ગઈ છે. ત્યારે મઘ્યપ્રદેશ સરકારના નિવેદનને નીતિન પટેલે આડેહાથ લેતા કહ્યું હતું કે, નિવેદન આપતા પહેલા મધ્યપ્રદેશ સરકારે સીધો ગુજરાત સરકારનો સંપર્ક કરવો જોઈએ.

મઘ્યપ્રદેશ સરકારની ગુજરાતને નર્મદાનું પાણી ના આપવાની આપી ચીમકી

મધ્યપ્રદેશ સરકાર પોતાની મનમાની કરી રહી છે. મઘ્યપ્રદેશના કાયદાપ્રધાને નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર મઘ્યપ્રદેશને સિંહ નહીં આપે તો ગુજરાતને મળતું નર્મદાનું પાણી અમે અટકાવીશું. તે સંદર્ભે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સંઘીય ભાવના ધરાવતો દેશ છે. દરેક સંસ્થાનું સંકલન સારી રીતે જાળવાઈ રહે તે પ્રમાણે કામ કરવું જોઈએ.

મઘ્યપ્રદેશ સરકારની ગુજરાતને નર્મદાનું પાણી ના આપવાની આપી ચીમકી

નાયબ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સિંહ આપવા અને પાણી આપવું એ અલગ વાત છે. મધ્યપ્રદેશ સરકારની ધમકીને આડેહાથ લેતા કહ્યું હતું કે, આજે પાણી આપવાની ના પાડી. કાલ સવારે તે એક રાજ્યમાંથી બીજા રાજ્યના ટ્રેન, વીજ, વાહન વ્યવહારોને અટકાવાની પણ વાત કરશે. મધ્યપ્રદેશ સરકાર જાણી જોઈને વિવાદો ઉભા કરી રહી છે.

આ ઉપરાંત પાણીના મુદ્દે કહ્યું હતું કે, નર્મદા યોજના ફક્ત મધ્યપ્રદેશની જ યોજના નથી. તે રાજ્યના ભાગીદારીની યોજના છે. જો મધ્યપ્રદેશ સરકારને કાંઈ વાંધો હોય તો તે ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરે. તેમના અધિકારીઓને ગુજરાત મોકલીને ચર્ચા કરે પણ આ રીતે વિવાદોમાં ન ઉતરે તેવું સુચન નીતિન પટેલે કર્યું હતું.

Intro:થોડા સમય પહેલા મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ગુજરાતમાં પાણી નહીં છોડવામાં આવે તેવા નિવેદનો કરવામાં આવ્યા હતા તેની સામે રાજ્ય સરકારે પણ કડક વલણ દાખવીને સુપ્રીમ કોર્ટ નો ચુકાદો સામે મૂક્યો હતો પરંતુ હવે નર્મદાના પાણી બાદ ફરીથી મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સામે આવી છે મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર ફરીથી નિવેદન કર્યું હતું કે જો ગુજરાત મધ્યપ્રદેશ ને સિંહ નહીં આપે તો અમે નર્મદામાં ગુજરાત માટે પાણી નહીં છોડીએ ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું હતું કે સિંહ તે હવે મધ્ય પ્રદેશ સરકાર ગમે તેવાં નિવેદનો કરી રહી છે પરંતુ જો તેમને કોઈ પ્રશ્ન હોય તો નિવેદનો આપવા કરતાં સીધો ગુજરાત સરકારનો સંપર્ક કરે.Body:એમપીના કાયદાપ્રધાને નિવેદન કર્યુ હતું કે ગુજરાત સરકાર મધ્યપ્રદેશને સિંહ આપો નહિ તો ગુજરાતને નર્મદાનું પાણી અટકાવીશું. તે સંદર્ભે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ સંઘીય ભાવના ધરાવતો દેશ છે. દરેક સંસ્થા પોતાનું સંકલન સારી રીતે જળવાય તે પ્રમાણે કામ કરે છે. જ્યારે એમપી સરકાર જે ધમકી આપે છે તે કોંગ્રેસ સરકારના મંત્રીની ધમકી છે, કોંગ્રેસ સરકાર આવ્યા પછી દરરોજ નર્મદા અંગે જુદા-જુદા નિવેદન કરે છે અને ધમકી આપે છે. આ બિનજવાબદારીભર્યું નિવેદન છે. જ્યારે
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર કામગિરી કરવાની હોય છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે સિંહ આપવા અને પાણી આપવું એ બંને અલગ છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા આવી ધમકી અપાય નહિ, જ્યારે કાલ ઉઠીને એમ કહેશે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રેન , વિજળીની લાઈન , વાહનો નહિ જવા દઈએ તો એવું ચાલશે નહિ. એમપી સરકાર જાણીજોઈને વિવાદ ઊભો કરે છે.

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન
Conclusion:જ્યારે નર્મદા યોજના ફક્ત મધ્યપ્રદેશની જ યોજના નથી તે રાજ્યના ભાગીદારી યોજના છે જો મધ્યપ્રદેશ સરકારને કંઈ વાંધો હોય તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરે તેમના અધિકારીઓને ગુજરાત મોકલીને ચર્ચા કરે પણ ગુજરાત સરકાર સાથે આ રીતે વિવાદમાં ના ઉતરે તેવુ પણ સૂચન નીતિન પટેલે કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.