ETV Bharat / state

MLA ઇમરાન ખેડવાલાએ કોરોના કોલર ટ્યુન હટાવવા કરી રજૂઆત

author img

By

Published : Jul 1, 2020, 5:48 PM IST

કોરોના મહામારીને લઈને જાગરૂકતા ફેલાવવા માટે સરકાર દ્વારા મોબાઈલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન લાગુ કરાવવામાં આવી હતી. જો કે, ચાર મહિના બાદ પણ આ કોલર ટ્યુન વાગતી હોવાથી તેને બંધ કરાવવા જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ કેન્દ્રીય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખી રજૂઆત કરી છે.

જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડવાલા દ્વારા કોરોના કોલર ટ્યુન હટાવવા રજૂઆત
જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડવાલા દ્વારા કોરોના કોલર ટ્યુન હટાવવા રજૂઆત

અમદાવાદ: જમાલપુર-ખાડીયાના MLA ઇમરાન ખેડવાલા દ્વારા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, “ લોકો તરફથી કોરોના કોલર ટ્યુન બંધ કરવા માટેની ભલામણ મળી છે, જેના ભાગરૂપે પત્ર લખી રહ્યો છું. છેલ્લા ચાર મહિનાથી આ કોલર ટ્યુન દરેક કોલ પર વાગે છે અને લગભગ બધા લોકો સુધી આ માહિતી પહોંચી ગઈ છે.”

જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડવાલા દ્વારા કોરોના કોલર ટ્યુન હટાવવા રજૂઆત
જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડવાલા દ્વારા કોરોના કોલર ટ્યુન હટાવવા રજૂઆત

“આ કોલર ટ્યુનના કારણે કોલ લાગવામાં પણ ઘણો સમય લાગે છે. જેથી આ કોલર ટ્યુનને હવે હટાવી લેવી જોઈએ. ”

આ ઉપરાંત રાજસ્થાનના એક ધારાસભ્યએ પણ કોરોના કોલર ટ્યુનથી હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે હટાવી દેવાની માગ કરતો કેન્દ્રીય પ્રધાનને પત્ર લખ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.