ETV Bharat / state

અમદાવાદ: મંદિર પરિસરમાં જ નીકળી રથયાત્રા

author img

By

Published : Jun 23, 2020, 5:09 AM IST

Updated : Jun 23, 2020, 8:27 AM IST

ભગવાનની આંખ પરથી પાટા ખોલાયા, પરિક્રમા પરિસરમાં જ ફરશે
ભગવાનની આંખ પરથી પાટા ખોલાયા, પરિક્રમા પરિસરમાં જ ફરશે

08:09 June 23

રથયાત્રાને લઈને અસમંજસની સ્થિતિ, મંદિરમાં હજુ ગૃહપ્રધાન અને મંદિરના ટ્રસ્ટી અને મહંતની બેઠક ચાલુ, મંદિરના દરવાજા પર પોલીસ ગોડીઓ તૈનાત કરવામાં આવી

07:29 June 23

મુખ્યપ્રધાને ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કતરાવ્યું

07:27 June 23

મુખ્યપ્રધાને પહિંદ વિધિ કરી

06:53 June 23

મુખ્યપ્રધાન  વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિરે પહોંચ્યાં

05:05 June 23

અમદાવાદ રથયાત્રા, CM વિજય રુપાણી પત્ની સાથે મંદિરે પહોંચ્યા

અમદાવાદ : મંગળા આરતી કર્યા બાદ ભગવાનની આંખ પરથી પાટા દુર કરવામાં આવ્યા છે. સવારે વહેલા 4 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી.  

મહત્વનું છે કે મંગળા આરતીમાં દર વર્ષની પરંપરા મુજબ ગૃહપ્રધાનને આમંત્રણ અપાઇ છે તેમ આ વર્ષે પણ ગૃહ પ્રધાન અમિત શાહને આમંત્રણ અપાયું હતુ, પરંતુ અંગત કારણોસર તે હાજર રહી શક્યા નહતા, પરંતુ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને મેયર બિજય પટેલ આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતા.

મંદિરમાં જો ભક્તોના પ્રવેશ અંગેની વાત કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ સાથે 20 ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.  

ઉલ્લેખનિય છે કે દિવસ દરમિયાન ચાલેલી અટકળોનો આખરે અંત આવતા હાઇકોર્ટે સરકારની તમામ વાતને ફગાવી દીધી હતી, ત્યારે હવે રથયાત્રાને મંદિર પરિસરમાં ફરશે. હાઇકોર્ટે જણાવ્યું હતુ કે કોરોનાની પરિસ્થિતી વચ્ચે કોર્ટ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા સરકારની માગ માની શકાય નહીં. આ વચ્ચે હાઇકોર્ટે રથયાત્રા યોજવાથી મનાઇ ફરમાવી છે.  

મુખ્ય પ્રધાન કરશે પહિંદ વિધિ

રથયાત્રામાં પહિંદ વિધિ ખુબ જ મહત્વની હોય છે. પહિંદ વિધિમાં રાજ્યના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, મેયરને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરાગત રીતે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હાજર રહેશે. 

Last Updated : Jun 23, 2020, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.