ETV Bharat / state

Narendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ

author img

By

Published : Mar 7, 2023, 7:56 AM IST

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ મેદાન પર ભારતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તો ચાલો આ મેદાન પર ભારતના ટેસ્ટ રેકોર્ડ પર એક નજર કરીએ.

Narendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ
Narendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ

નવી દિલ્હીઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2021માં અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમને તોડીને બનાવવામાં આવ્યું હતું. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો ભારત આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના ટેસ્ટ રેકોર્ડ પર એક નજર કરીએ.

આ પણ વાંચો: Oceans Seven Challenge: મહારાષ્ટ્રના તરવૈયાએ રચ્યો ​​ઈતિહાસ

અમદાવાદમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ: ભારતે તેની છેલ્લી મેચ 2021માં ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. ટીમ ઈન્ડિયા અહીં માત્ર બે ટેસ્ટ મેચ રમી છે. બંને મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. બંને મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલા ભારતે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં કુલ 12 ટેસ્ટ મેચ રમી હતી. ભારતે 4 મેચમાં જીત મેળવી હતી અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 6 મેચ ડ્રો રહી હતી. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને હાલમાં ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આ મેદાન પર સૌથી વધુ રન બનાવ્યા છે. દ્રવિડના આ મેદાન પર 7 મેચમાં 771 રન છે. આ મેદાન પર સૌથી વધુ (36) વિકેટ પૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલેના નામે છે.

સ્પિનરો પ્રભુત્વ ધરાવે છે: ભારતે આ સ્ટેડિયમમાં 2021માં ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમી હતી. આ બંને મેચમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં પુરી થઈ હતી અને બીજી ટેસ્ટ મેચ માત્ર બે દિવસ ચાલી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક દાવ અને 25 રને વિજય થયો હતો અને બીજી ટેસ્ટ મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી હતી. આ બે ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનર ​​અક્ષર પટેલે ઈંગ્લિશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. બંને મેચમાં સ્પિન ટ્રેક હતો અને સ્પિનરોને વિકેટમાંથી સારો ટર્ન મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે 9 માર્ચથી આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે પિચ સ્પિનરોને મદદ કરે છે કે નહીં. જોકે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ કહ્યું છે કે, પીચ ક્યુરેટર્સ સામાન્ય પીચ તૈયાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મોદી ટેસ્ટ મેચ જોશે, 2 દિવસના આટલા કાર્યક્રમ

ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો તે 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ત્રીજી ટેસ્ટમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્રીજી ટેસ્ટની હાર બાદ ભારત ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરે અને ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને કારમી હાર આપે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.