ETV Bharat / state

જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદીના મગનું અનેરૂ મહત્વ

author img

By

Published : Jun 26, 2019, 3:52 PM IST

Updated : Jun 26, 2019, 8:09 PM IST

અમદાવાદ: આપણી સંસ્કૃતિમાં અષાઢી બીજનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા. ચાલુ વર્ષે 4 જુલાઇએ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નિકળવાની છે. ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે શોળે શણગાર સજીને નગરચર્યાએ નીકળશે. રથયાત્રા જેવા પાવન પર્વના 15 દિવસ અગાઉ જેઠ સુદ પૂનમે ભગવાન જગન્નાથ મામાના ઘરે એટલે કે મોસાળે જાય છે. આ રથયાત્રામાં ભગવાનના શણગારની જેમ મગના પ્રસાદનું પણ આગવું મહત્વ છે.

ડિઝાઇન ફોટો

જ્યારે કોઇ ભાણેજ મામાના ઘરે જાય અને તેને લાડ લડાવવામાં ન આવે તેવું તો ભાગ્યે જ બનતું હોય છે. સામાન્ય રીતે મામાનું ઘર એટલે ગમ્મતની મોજ અને અહીં આ તો ખુદ ભગવાન... ભગવાન જગન્નાથને મોસાળમાં છપ્પન ભોગ ધરાવીને લાડ લડાવવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાનને મામાના ઘરે જમવામાં મિષ્ઠાન સાથે ફળ-ફળાદીમાં જાંબુ, કેરી, દાડમ વગેરે હોય છે. આવા ભોજનથી ભગવાન બીમાર પડી જાય છે. જેથી ભગવાનને આંખો આવી જાય છે. આ આંખો પર વૈદિક વિધિ પ્રમાણે ચંદનના લેપ કરી પાટો બાંધવામાં આવે છે.

જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદીના મગનું અનેરૂ મહત્વ

આપણા ઋષિમુનિઓએ મગને માંદા માણસોનો ખોરાક ગણ્યો છે. બધાં જ દ્વિદલ ધાન્યોમાં અને સૌથી વધુ કઠોળમાં મગ સૌથી શ્રેષ્ઠ છે. મગ હલકા કફ તથા પિત્તને હરનાર છે. મગ શરીર માટે ઠંડા, નેત્રને હિતકારી તેમજ તાવને મટાડનાર છે. કહેવત છે કે, "મગ ચલાવે પગ" માટે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ રૂપે અપાતા મગનું આગવું મહત્વ છે.

Intro:વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે 142 મી રથયાત્રાનું પર્વ ખૂબ જ નજીક આવી રહ્યું છે. અષાઢ સુદ બીજ એટલે કે રથયાત્રા. રથયાત્રાના આ પર્વના 15 દિવસ અગાઉ એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને જયેષ્ઠ ભાઈ શ્રી બળદેવજી પોતાના મામાના ઘરે મોસાળે જાય છે. મામાના ઘરે તો ખૂબ જ લાડકોડ અને આહારમાં ખાવાપીવાની ખૂબ જ મજા આવે છે. કહેવાય છે કે ભગવાનને મામાના ઘરે જમવામાં મિષ્ઠાન, ફળફળાદી માં જાંબુ,કેરી, દાડમ વગેરે ખૂબ જ લેવામાં આવવાથી ભગવાન બીમાર પડી જાય છે.


Body:અને ભગવાનને આંખો આવી જાય છે. માટે તેમની આંખો પર વૈદિક વિધિ ચંદનના લેપ કરી પાટો બાંધવામાં આવે છે. બધા જ દ્વિદલ ધાન્યોમાં કઠોળમાં મગ સૌથી શ્રેષ્ઠ અને પથ્ય છે. આપણા ઋષિમુનિઓએ મગને માંદા માણસો નો ખોરાક ગણેલ છે. મગ વૃક્ષ હલકા કફ તથા પિત્તને હરનાર ઠંડા મધુર અને નેત્રને હિતકારી તેમજ તાવને મટાડનાર છે. કહેવત છે કે "મગ ચલાવે પગ".માટે જ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અપાતા મગનું પ્રસાદ નું મહત્વ અનન્ય છે.


Conclusion:બાઈટ એક શારદાબેન બળદેવભાઈ વાઘેલા
બાઈટ 2 શારદાબેન પુનિતભાઈ રાવલ
બાઈટ 3 જશીબેન
બાઈટ 4 પારૂલબેન
અમદાવાદથી સ્પેશ્યલ એક્સક્લુઝિવ સ્ટોરી કલ્પેશ ડી ભટ્ટ
Last Updated :Jun 26, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.