ETV Bharat / state

Ahmedabad murder case: IB ઓફિસરે પોતાની જ પત્નીની આપી હતી સોપારી, થઈ ધરપકડ

author img

By

Published : Jan 27, 2023, 11:22 AM IST

વેજલપુરમાં પત્નીની હત્યા કરાવનાર માસ્ટર માઇન્ડ IB ઓફિસરની (IB officer arrested to killed her wife in Vejalpur) ધરપકડ કરવામાં આવી છે. પતિએ દોઢ લાખમાં સોપારી આપીને પત્નીની હત્યા કરાવી હતી. આ પહેલા સોપારી લઇને હત્યા કરનાર આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે. IB ના અધિકારીએ 3 લગ્ન કરેલા હોવાનો પણ ખુલાસો થયો છે. (Ahmedabad muder case)

Ahmedabad muder case: IB ના અધિકારીએ પોતાની જ પત્નીની સોપારી આપી, પોતે પણ 3 લગ્ન કરેલા
Ahmedabad muder case: IB ના અધિકારીએ પોતાની જ પત્નીની સોપારી આપી, પોતે પણ 3 લગ્ન કરેલા

IB ના અધિકારીએ પોતાની જ પત્નીની સોપારી આપી, પોતે પણ 3 લગ્ન કરેલા

અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્રીનંદનગરમાં 6 મહિના પહેલા મળેલી મહિલાની લાશ મામલે હત્યાના ગુનામાં સામેલ મૃતકના પતિની પોલીસે ધરપકડ કરી છે. સેન્ટ્રલ આઇડીમાં ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિએ દોઢ લાખમાં સોપારી આપીને પત્નીની હત્યાને અંજામ અપાવ્યો હતો. આ મામલે સોપારી લેનાર એક આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી વોન્ટેડ: વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્રીનંદ નગરમાં 22 જુલાઈ 2022 ના રોજ મકાનમાંથી ગળું કાપેલી હાલતમાં એક મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સમગ્ર મામલે મૃતકની માતા લક્ષ્મીબેન કાર દ્વારા વેજલપુરમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે જે તે સમયે અલગ અલગ ટીમ કામે લાગી હતી. ઝોન 7 એલસીબી ટીમે 6 ઓગસ્ટ 2022 ના રોજ તેલંગાણાથી ખલીલુદ્દીન સૈયદ નામના એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે તેની સાથે આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હતા મહિલાના પતિ રાધા કૃષ્ણ મધુકર દુધેલા કે જે સેન્ટ્રલ IB માં ફરજ બજાવતા હોય તેના ઇશારે હત્યાને અંજામ આપ્યો હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ

નોંધાવેલી ફરિયાદ: મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની દીકરી મનીષાએ મેટ્રીમોનિયલ સાઈટ થકી હૈદરાબાદ પાસે આવેલ કડપ્પા ગામના રાધાકૃષ્ણ દુધેલા સાથે વર્ષ 2014માં પરિવારની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે હૈદરાબાદ ગઈ હતી. જોકે બંને વચ્ચે મનમેળ ન રહેતા એક વર્ષ પછી 2015માં તે પતિને છોડીને માતા જોડે રહેવા આવી ગઈ હતી. જે બાદ તેણે પતિ સામે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને દર મહિને 40 હજાર રૂપિયા ખાધા ખોરાકી તેને પતિ દ્વારા આપવામાં આવતી હતી.

અલગ ટીમો: આ ગુનામાં સામેલ મહિલાના પતિએ પત્નીને ખાધા ખોરાકી આપવી ન પડે તે માટે પોતાના ત્રણ માણસોને અમદાવાદ ખાતે મૃતકના ઘર આસપાસ વોચ રાખવા માટે મોકલ્યા હતા. અને એક દિવસ ત્રણમાંથી બે આરોપીઓએ મહિલાના ઘરમાં ઘૂસીને તેને ગળે ચપ્પુથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. આ ગુનામાં હજુ પણ બે આરોપીઓ કે જેઓએ હત્યાને અંજામ આપ્યો હતો.એ વોન્ટેડ હોવાથી પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ કામે લગાડી છે. પકડાયેલા આરોપી જે સેન્ટ્રલ IBમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય તેને કોર્ટમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

રૂપિયામાં સોપારી: મહિને દોઢ લાખ રૂપિયાનો પગાર ધરાવતા રાધાકૃષ્ણ દુધેલાએ પત્નીની હત્યાને અંજામ આપવા માટે જે માણસને દોઢ લાખ રૂપિયામાં સોપારી આપી હતી. તે અગાઉ ઝડપાયો હતો હવે આ મામલે પોલીસે કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓ મેળવી વધુ તપાસ તજવીજ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપી રાધાકૃષ્ણ દૂધેલાએ ત્રણ લગ્ન તેમજ મૃતક મનીષાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હોવાનું પણ સામે આપ્યું છે.

આરોપી તપાસ: આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.બી રાજવીએ જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે અગાઉ પકડાયેલા આરોપી અને હાલના આરોપીના કોલ ડીટેલ સહિતની અલગ અલગ વિગતો અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરીને અન્ય આરોપીઓની તપાસ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.