ETV Bharat / state

અમદાવાદના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યા માનવ અંગો

author img

By

Published : Dec 16, 2022, 7:28 AM IST

Updated : Dec 16, 2022, 11:53 AM IST

અમદાવાદના એરપોર્ટ નજીક આવેલા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી(Kotarpur water treatment plant Ahmedabad) માનવ અંગો મળી આવ્યા હતા. (Human organs found Kotarpur water treatment plant) પાણી પૂરવઠો આપવાના પ્રાથમિક તબક્કામાં જ સતર્ક કર્મચારીને માનવ અંગો હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્લાન્ટમાંથી માનવ હાથ, પગ અને માથું કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. (Human organs found in mutilated condition)પોલીસે પાણીમાંથી મળી આવેલા તમામ માનવ અવશેષોને પીએમ અને FSL તપાસ માટે મોકલ્યા છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યા માનવ અંગો
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યા માનવ અંગો

અમદાવાદ : એરપોર્ટ નજીક આવેલા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ હાથ, પગ અને માથું મળી આવ્યું છે. પોલીસે પાણીમાંથી મળી આવેલા તમામ માનવ અવશેષોને પીએમ અને FSL તપાસ માટે મોકલ્યા છે. આ મામલે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

માનવ અવશેષો મળી આવતાં ચકચાર: કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવાય છે. જેમાંથી પૂર્વ અમદાવાદના શહેરીજનોને આજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પુરવઠો અપાય છે. પાણી પૂરવઠો આપવાના પ્રાથમિક તબક્કામાં જ સતર્ક કર્મચારીને માનવ અંગો હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્લાન્ટમાંથી માનવ હાથ, પગ અને માથું કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી સાથે આવેલો માનવ હાથ જોઇને કર્મચારીઓ અને અધિકારીઓ ચોંકી ગયા હતા. તેમણે પાણીનું શુદ્ધિકરણ તુરંત જ અટકાવી દીધું. તેમજ હાથને બહાર કાઢી લઇ 15 એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે 1.5 કરોડ લિટર પાણીનો જથ્થો ફ્લશ આઉટ કર્યા બાદ પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. નર્મદા કેનાલ મારફતે માનવ અંગ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ પણ વાંચો : નિષ્ઠુર જનેતા, મોરબીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

પીએમ અને FSL તપાસ કરાશે: આ ઘટનાની જાણ સરદારનગર પોલીસને કરતા પોલીસે પાણીમાંથી મળી આવેલા તમામ માનવ અવશેષોને પીએમ અને FSL તપાસ માટે મોકલ્યા છે. આ અંગે પોલીસ અધિકારીએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે માનવ અંગો ઘણા સમયથી પાણીમાં હોવાથી કોહવાઈ ગયા હોવાથી પુરુષના છે કે સ્ત્રીના તે અંગે પણ ઓળખ થઈ શકી નથી. સરદારનગર પોલીસના જણાવ્યા અનુસાર માનવ શરીરના અંગો મળી આવતાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. એવું મનાઇ રહ્યું છે કે, નર્મદા કેનાલના પાણીમાં તરીને આવતાં કચરાને અટકાવવા વચ્ચે મશીન મૂકવામાં આવ્યું છે, જેને કારણે મૃતદેહના ટુકડા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : નિષ્ઠુર જનેતા, મોરબીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

Last Updated :Dec 16, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.