ETV Bharat / state

અમદાવાદના મેયરનો ઇતિહાસ, કોર્પોરેશન પદાધિકારીઓને MLA ટિકીટ આપવામાં ભાજપ અને કોંગ્રેસ કેવા છે

author img

By

Published : Oct 25, 2022, 4:29 PM IST

Updated : Oct 25, 2022, 5:41 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Elections ) નજીક આવી રહી છે. અમદાવાદ સહિતના કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓ ( corporation office bearers ) માટે ટિકીટના સંજોગો કેવા તેની ચર્ચા ઊઠી છે. ત્યારે જોઇએ કે ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરીકે કોર્પોરેશન પદાધિકારીઓ માટે કેવો (History of Mayor of Ahmedabad ) ઇતિહાસ ધરાવે છે.

અમદાવાદના મેયરનો ઇતિહાસ, ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરીકે કોર્પોરેશન પદાધિકારીઓ માટે કેવાં તેનો જવાબ આ રહ્યો
અમદાવાદના મેયરનો ઇતિહાસ, ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરીકે કોર્પોરેશન પદાધિકારીઓ માટે કેવાં તેનો જવાબ આ રહ્યો

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Elections ) અમદાવાદના મેયરને ( corporation office bearers ) ધારાસભ્ય ટિકીટ આપવામાં આવશે કે નહીં તે વિચારો. આનો ઇતિહાસ (History of Mayor of Ahmedabad ) અનેરો રહ્યો છે. દર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર,પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયરો વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે. તેમ છતાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપી હતી અને તેમાં તેઓ વિજયી બન્યા હતાં.

કોંગ્રેસે આવી તક આપી હતી

અમદાવાદનો આવો તો કેવો ઇતિહાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇતિહાસની (History of Mayor of Ahmedabad )વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભાજપના શાસનમાં અનેક કોર્પોરેટર તરીકેની જવાબદારી સંભાળી છે. જેમાં બીજલ પટેલ, ગૌતમ શાહ, મીનાક્ષીબેન પટેલ, અસિત વોરા, કાનાજી ઠાકોર, અમિત શાહ મેયર ( corporation office bearers ) તરીકેની સત્તા પર રહ્યા છે. પરંતુ મેયર પદ પરથી ઉતરી જતા તેઓ ભાજપના સંગઠનમાં કાર્યરત જોવા મળ્યા છે. પણ ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી તેઓને વિધાનસભાની ટિકીટથી વંચિત રાખવામાં આવ્યા છે.

મેયર તરીકે ફક્ત હિંમતસિંહ પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા અમદાવાદના મેયર તરીકે હિંમતસિંહ પટેલ 16 ઓકટોબરથી 13 એપ્રિલ 2002 સુધી રહ્યા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે હિંમતસિંહ પટેલને મેયર ( corporation office bearers ) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ત્યાર બાદ વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બાપુનગર વિધાનસભાની ટિકીટ આપી હતી જેમાં તેઓએ ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને હરાવી 2807 મતોથી જીત મેળવી હતી.

શું કહ્યું અમદાવાદના પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે Etv ભારત સાથેની ખાસ વાતચીતમાં હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદ રહ્યા છે કે હું અમદાવાદનો મેયર (History of Mayor of Ahmedabad )પણ રહ્યો છું અને હાલમાં બાપુનગર વિધાનસભાનો ધારાસભ્ય પણ છું. અનેક ઐતિહાસિક નિર્ણય લીધા જેમાં સાબરમતી રિવરફ્રન્ટની પણ કામગીરી સંભાળી હતી. જ્યારે હું મેયર( corporation office bearers ) હતો ત્યારે મેયર બંગલાનો ઉપયોગ કર્યો જ નથી. હું મારા નિવાસસ્થાને રહ્યો હતો. જ્યારે મેયર બંગલામાં મુખ્યમંત્રી નિવાસસ્થાન જેવી જ સુવિધાઓ આપવામાં આવે છે. તેમ છતાં પણ હું મારા વિસ્તારમાં જ મારા ઘરે જ રહેતો હતો. વર્ષ 2017માં મને વિધાનસભાની ટિકિટ મળી અને તેમાં પણ મારો વિજય થયો. જે લોકવાયકા છે કે અમદાવાદનો મેયર ધારાસભ્ય બની શકતો નથી તે મેં તોડી છે.

સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટ તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતાં. ત્યાર બાદ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા માળખામાં તેઓને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપ પક્ષે ( corporation office bearers ) નિમણુંક કરી હતી. ત્યારે બાદ ભૂપેન્દ્ર પટેલ સતત 5 વર્ષ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતાં. ત્યારબાદ વર્ષ 2015 થી 2017 સુધી AUDA ના ચેરમેન તરીકે સત્તામાં (History of Mayor of Ahmedabad ) રહ્યા છે. ઉપરાંત જ્યારે તેઓ સત્તામાં હતાં ત્યારે જ મોડી રાત્રે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેડવાર તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. તેઓ 1,17,750 મતથી ઘાટલોડિયા બેઠક પર જીત્યા હતાં. જ્યારે 11 સપ્ટેમ્બર 2021 ના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપની બેઠકમાં ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની 12 સપ્ટેમ્બર 2021 ના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદનો ઇતિહાસ છે કોઈ મેયરને ટિકીટ મળી નથી શનિવાર 15 ઓક્ટોબરના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ નોન રેસીડેન્સ ગુજરાતી (NRG) ની બેઠકમાં અમદાવાદના પૂર્વ મહેમાનોના સ્વાગત કમલમના દરવાજો પાસે ઊભા રહ્યા હતાં. ત્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ટિકિટ માટે ઉભા રહ્યાં હોવાના પ્રશ્ન બાબતે અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોરે ( corporation office bearers ) સ્પષ્ટપણે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે અમદાવાદનો ઇતિહાસ (History of Mayor of Ahmedabad ) છે કે કોઈપણ મેયરને ટિકીટ મળતી નથી.

ગૌતમ શાહ, બીજલ પટેલ ટિકીટ લેવામાં અગ્રેસર ? સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર ( corporation office bearers ) ગૌતમ શાહ અને બીજલ પટેલ ટિકીટ લેવામાં અગ્રેસર હોવાની વાતો પણ સામે આવી રહી છે. પૂર્વ મેયર ગૌતમ શાહે અને બીજલ પટેલ અમુક બેઠકની ટિકિટ માટે કામગીરી પણ હાથ ધરી છે. પરંતુ શું જૂનો ઈતિહાસ (History of Mayor of Ahmedabad )જ વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે ?

અમદાવાદના મેયર હાંસિયામાં ધકેલાઈ જાય છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ પક્ષને ટિકીટ આપવી અને કોને ટિકિટ ન આપી તે ભાજપ પક્ષનો પ્રશ્ન છે. પરંતુ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક તરીકે કામ કર્યું હોય તે માપદંડના આધારે ટિકીટ માટે કોઈપણ પક્ષ તેનો આધાર લેતું હોય છે. જ્યાં સુધી સવાલ છે હિંમતસિંહ પટેલનો ત્યારે તે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ પણ હતાં. યુવાન ચહેરો અને સમીકરણમાં બેઠાં એટલે તેઓને ટિકિટ (History of Mayor of Ahmedabad )આપવામાં આવી. જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો તેઓની સૌથી મોટા મોટી તકલીફ એ છે કે નીતિ નિયમ પ્રમાણે દેખાવ મોટો કરે, પરંતુ અમદાવાદના મેયર રહી ચૂકેલા પ્રથમ નાગરિકને જે માન સન્માન આપવું જોઈએ તેમાં તે ઘણું ઉણું રહી ચૂક્યું છે. જ્યારે ભાજપમાં રહી ચૂકેલા પૂર્વ મેયરો અત્યારે હાંસિયામાં ધકેલાઈ ચૂક્યા હોય તેવું પણ લાગી રહ્યું છે.

શું કહે છે પોલિટિકલ પંડિત રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મેયર અને વિધાનસભાની ચૂંટણી અલગ હોય છે અને પક્ષ પર આધારિત હોય છે. સુરતમાં રણજિત ગિલેટવાળા અને કાશીરામ રાણા મેયર રહી ચૂક્યા હતાં. તેઓ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતાં. જ્યારે ભાવનગરના વિભાવરીબેન દવે મેયર ( corporation office bearers ) તરીકે હતાં અને ત્યારબાદ વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન રહ્યાં હતાં. પરંતુ વિધાનસભા બેઠક દીઠ ઉમેદવાર નક્કી કરવાના અલગ અલગ માપદંડ હોય છે. અમદાવાદના પૂર્વ મેયરોને (History of Mayor of Ahmedabad ) અન્યાય થઈ રહ્યો હોય તેવી કહી શકાય.

ભાજપનું શુ કહેવું છે અમદાવાદના મેયરને ટિકિટ ( corporation office bearers ) આપવા બાબતે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. વારંવાર ટેલીફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ વાત થઈ શકી ન હતી. જ્યારે યમલ વ્યાસ બાદ યજ્ઞેશ દવેનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ યગ્નેશ દવેએ કોઈ કારણોસર ફોન કટ કર્યો હતો.

Last Updated : Oct 25, 2022, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.