ETV Bharat / state

બુલેટ ટ્રેન: રાજ્ય સરકારના જમીન સંપાદનને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે 100 ખેડૂતોની અરજી ફગાવી

author img

By

Published : Sep 19, 2019, 7:20 PM IST

Updated : Sep 19, 2019, 9:36 PM IST

અમદાવાદ: વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કીમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવે ખેડૂતોની માગ ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની ખેડૂતોની માગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. જોકે ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે યોગ્ય વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખતા કોર્ટે યોગ્ય સતાધિશો સમક્ષ રજુઆત કરવાનો આદેશ કર્યો હતો.

file photo

રાજ્યના 100થી વધુ ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, બંધારણીય રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરવાનો અધિકાર છે અને અધિકાર હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રના જે કાયદો બદલ્યો તેમાં કાઈ ખોટું નથી. ભારત સરકારે બંધારણની કલમ 254 હેઠળ રાજ્યપાલની પરવાનગી લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કેટલાક કાયદા બદલી શકે છે. આ મુદ્દે વાતચીત કરતા ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થઈ રહ્યો છે એટલે કે એક કરતા વધારે રાજ્યોમાં પ્રોજેક્ટ અમલમાં છે, ત્યારે જમીન સંપાદન કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવો જોઈએ જોકે અધધ વચ્ચે ગુજરાત સરકારને પોતે કરેલા જમીન સંપાદનનો અધિકાર નથી તેનો ભાન આવતા બંધારણની કલમ 258 હેઠળ કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડી કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જમીન સંપાદનો અધિકાર કેન્દ્ર સરકારને આપી દીધો હતો.

રાજ્ય સરકારના જમીન સંપાદનને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે 100 ખેડૂતોની અરજી ફગાવી

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થવાના 8 મહિના પછી કેન્દ્ર સરકારે સંપાદન મુદ્દે રાજ્ય સરકારને પાછલા અક્ષરે જે પરવાનગી આપી છે તેમાં કાંઈ પણ ખોટું નથી. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયાને યોગ્ય ઠારવી છે. એટલું જ નહિં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જમીન સંપાદનના વળતરની પ્રક્રિયા પણ યોગ્ય હોવાનું નોંધ્યું હતું. જોકે વળતર માટેના માર્ગ ખુલ્લા રાખ્યા છે. કોર્ટે ખેડૂતોના સામાજીક આંકલન અને પુર્નવાસનની રીતે અમલમાં ન લાવવાના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનના કેન્દ્ર સરકારના કાયદામાં અસરગ્રસ્ત ખેડૂતોમાં સામાજીક - આર્થિક મૂલ્યાંકન અને પુર્નવાસનની નીતિની જોગવાઈ છે.


જાણો શું છે જમીન વિવાદ મામલો

અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી જેની સામે 100થી વધુ ખેડૂતોએ હાઈકોર્ટ રિટ દાખલ કરતા રજુઆત કરી હતી કે, સરકાર તેમને 2011ના જંત્રી પ્રમાણે 4 ગણી ચુકવી રહી છે. જ્યારે કાયદા પ્રમાણે જમીનના બજાર ભાવના પ્રમાણે રકમ ચુકવવામાં આવી જોઈએ. સરકાર દ્વારા 2011ની જંત્રી પ્રમાણે જે રકમ ચુકવવામાં આવી છે તે 10 કે 20 ગણી નહિ પરતું ક્યાંક તો બજાર ભાવથી 80 ગણી ઓછી હોવાનું સામે આવ્યું છે. પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો હોવાથી જમીન સંપાદન પ્રક્રિયા કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવું જોઈએ. પરંતુ, ખેડૂતોને રાજ્ય સરકારે તેમના જમીન સંપાદનના કાયદા પ્રમાણે જંત્રીના 4 ગણી રકમ વળતર આપવાની જાહેરાત કરી છે.

ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના ચુકાદો સામે સુપ્રિમ કોર્ટમાં જશે

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈ-વે, ફ્રેઈટ કોરિડોર સહિતના અસરગ્રસ્ત ખેડૂતો જમીન સંપાદન મુદ્દે ખુબ જ નારાજ થયા હોવાથી આગામી સમયમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે. ગુજરાત હાઈકોર્ટમાં હાર થઈ છે. પરંતુ લડત ચાલું રહેશે.

રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદનની નીતિ ખેડૂત વિરોધી છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, ભાજપની ખેડૂત વિરોધી માનસિકતાને લીધે ઉદ્યોગોને હજારો એકર જમીન પાણીના ભાવે આપવામાં આવે છે. ભાજપના રાજમાં ખેડૂતોના આપઘાતના કેસ વધ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં ખેડૂતોને હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાથી અગામી દિવસોમાં સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરી શકે છે.

Intro:(નોંધ - કોગ્રેસી પ્રવક્તા મનીષ દોષીની બાઈટ એટેચ કરી છે જ્યારે વકીલ આનંદ યાજ્ઞિકની બાઈટ મોજોથી સેન્ડ કરી છે)

વડાપ્રધાન મોદીના સ્વપન સમાન અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કીમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી લીલીઝંડી મળી ગઈ છે..ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવે ખેડૂતોની માંગ ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન પ્રજોક્ટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની ખેડૂતોની માંગ હાઈકોર્ટે ફગાવી દીધી છે , જોકે ખેડૂતોને જમીન સંપાદન મુદે યોગ્ય  વળતર માટેનો માર્ગ ખુલ્લો રાખતા કોર્ટે યોગ્ય સતાધિશો સમક્ષ રજુઆત કરવાનો આદેશ કર્યો હતો.....Body:રાજ્યના 1 હજારથી વધુ ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે બંધારણીય રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરવાનો અધિકાર છે અને અધિકાર હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રના જે કાયદો બદલ્યો તેમાં કઈં ખોટું નથી. ભારત સરકારે બંધારણની કલમ 254 હેઠળ રાજ્યપાલની પરવાનગી લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કેટલાક કાયદા બદલી શકે છે...આ મુદે વાતચીત કરતા ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નાગર હવેલીમાંથી પસાર થઈ રહ્યો છે એટલે કે એક કરતા વધારે રાજ્યોમાં પ્રોજેક્ટ અમલમાં છે ત્યારે જમીન સંપાદન કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવો જોઈએ જોકે અધધ વચ્ચે ગુજરાત સરકારને પોતે કરેલા જમીન સંપાદનનો અધિકાર નથી તેનો ભાન આવતા બંધારણની કલમ 258 હેઠળ કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડી કેન્દ્ર્ સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જમીન સંપાદનો અધિકાર કેન્દ્ર સરકારને આપી દીધો હતો....

હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થવાના 8 મહિના પછી કેન્દ્ર સરકારે સંપાદન મુદે રાજ્ય સરકારને પાછલી અક્ષરે જે પરવાનગી આપી છે તેમાં કઈં પણ ખોટું નથી..કોર્ટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયાને યોગ્ય ઠારવી છે. એટલું જ નહિ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જમીન સંપાદનના વળતરની પ્રક્રિયા પણ યોગ્ય હોવાનું નોંધ્યું હતું જોકે વળતર માટેના માર્ગ ખુલ્લા રાખ્યા છે..કોર્ટે ખેડૂતોના સામાજીક આકંલન અને પુર્નવાસનની નીતે અમલમાં ન લાવવાના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠારવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનના કેેન્દ્ર સરકારના કાયદામાં અસરગ્રસ્ત ખેડૂતોનમા સામાજીક - આર્થિક મૂકલ્યાંકન અને પુર્નવાસનની નીતિની જોગવાઈ છે...




શું છે જમીન વિવાદ મામલો ..........................

અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી જેની સામે 1 હજારથી વધું ખેડૂતોએ હાઈકોર્ટ રિટ દાખલ કરતા રજુઆત કરી હતી કે સરકાર તેમને 2011ના જંત્રી પ્રમાણે 4 ગણી રકમ ચુકવી રહી છે જ્યારે કાયદા પ્રમાણે જમીનના બજાર ભાવના 4 ગણી રકમ ચુકવવામાં આવી જોઈએ. સરકાર દ્વારા 2011ની જંત્રી પ્રમાણે જે રકમ ચુકવવામાં આવી છે તે 10 કે 20 ગણી નહિ પરતું ક્યાંક તો બજાર ભાવથી 80 ગણી ઓછી હોવાનું સામે આવ્યું છે. પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો હોવાથી જમીન સંપાદન પ્રક્રિયા કેન્દ્ર સરકારના કાયદા મુજબ થવું જોઈએ પરતું ખેડૂતોને રાજ્ય સરકારે તેમના જમીન સંપાદનના કાયદા પ્રમાણે જંત્રીના 4 ગણી રકમ વળતર આપવાની જાહેરાત કરી છે..





ખેડૂતો ગુજરાત હાઈકોર્ટના ચુકાદો સામે સુપ્રિમ કોર્ટમાં જશે.........................................

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈ-વે, ફ્રેઈટ કોરિડોર સહિતના અસરગ્રસ્ત ખેડૂતો જમીન સંપાદન મુદે ખુબ જ નારાજ થયા હોવાથી અગામી સમયમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે.  ગુજરાત હાઈકોર્ટમાં હાર થઈ છે પરતું લડત ચાલું રહેશે.Conclusion:હાઈકોર્ટના ચુકાદા પર કોગ્રેસનું રિએક્શન........

રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદનની નીતિ ખેડૂત વિરોધી છે. આ મુદે કોગ્રેસી મનિષ દોષીએ કહ્યું કે ભાજપની ખેડૂત વિરોધી માનસિકતાને લીધે ઉધ્યોગોને હજારો એકર જમીન પાણીના ભાવે આપવામાં આવે છે. ભાજપના રાજમાં ખેડૂતોના આપઘાતના કેસ વધ્યા છે.. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં ખેડૂતોને હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાથી અગામી દિવસોમાં સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરી શકે છે...


બાઈટ - આનંદ યાજ્ઞિક, ખેડૂતોના વકીલ

બાઈટ - મનીષ દોષી, પ્રવકતા, કોગ્રેસ કમિટિ ગુજરાત
Last Updated :Sep 19, 2019, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.