ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને મળવાની હાઈકોર્ટે માતા-પિતાને મંજૂરી આપતા અરજી પરત ખેંચાઇ

author img

By

Published : Nov 28, 2019, 7:16 PM IST

હાઈકોર્ટ
હાઈકોર્ટ

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં રહેતા બાળકોના માતા-પિતા તરફે હાઈકોર્ટમાં કરાયેલી હેબિયસ કોર્પસ રિટના ભાગરૂપે જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ ગુરુવારે અરજદારના વકીલે અરજદારના વકીલે તેમની માતા-પિતાને બાળકોને મળવાની માગ સ્વીકારતા હેબિયસ કોર્પસ રિટ પરત ખેંચવાની તૈયારી બતાવી હતી. સરકારી વકીલે આ મુદે કોઈ વાંધો કે, સોંગદનામું રજૂ કરવાનું વલણ ન દાખવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. હાઈકોર્ટે બીજા દિવસે પણ સપષ્ટ વલણ દાખવ્યો હતો અને કહ્યું હતું કે, તપાસને અસર પડે તેવો આદેશ ક્યારેય આપી શકાય નહીં. આશ્રમના મેનેજર વિશે વેબસાઈટ પર સર્ચ કર્યું હોવા છતાં તેમની માહિતી ન મળી હોવાની રજૂઆત કરી હતી. ગઈકાલે હાઈકોર્ટે અરજદારના વકીલને અશ્રમના મેનેજરનું નામ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. બંને પક્ષે સમંતિ દર્શાવતા રિટ અરજદાર વતી પરત ખેંચી લેવામાં આવી હતી.

બુધવારે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પોલીસ દ્વારા હાજર કરાયેલા તમામ 4 બાળકોએ આશ્રમના ગુરુકુળમાં રહેવાનો તેમનો નિર્ણય કોર્ટને જણાવ્યો હતો. હાઈકોર્ટે કેસની તપાસ દરમિયાન બાળકો સાથે ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી અને મહિલા અધિકારીને સાથે રહેવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું કે, માતા-પિતાને તેમના બાળકોને મળવાથી રોકી શકાય નહીં. જો કે, તેની પોલીસ તપાસ દરમિયાન માતા-પિતા બાળક સાથે હાજર રહી શકશે નહીં. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન બાળકો સાથે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના અધિકારી અને મહિલા અધિકારી હાજર રહેશે. પોલીસે આશ્રમમાં કોણ-ક્યારે આવ્યું તેનું રજીસ્ટર અને ડિટેઈલ માહિતી રાખવાનો કોર્ટે આદેશ કર્યો છે. આશ્રમમાંથી કોઈપણ બાળક હાઈકોર્ટની પરવાનગી વગર ક્યાંય જઈ શકશે નહીં. તેવો પણ હાઈકોર્ટે સુચન કર્યું હતું.

હાઈકોર્ટના આદેશ બાદ વિવેકાનંદનગર પોલીસ દ્વારા રજૂ કરાયેલા ચારેય બાળકોએ કોર્ટને જણાવ્યું હતું કે, કેસની તપાસ માટે અમને પોલીસ અધિકારી દ્વારા અલગ-અલગ બોલાવવામાં આવે છે અને કેટલાક કાગળ પર અમારી સહીં લેવામાં આવતા અમને ભય લાગે છે. બાળકો સાથે આવેલી આશ્રમની મેન્ટર ત્રિશા સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસે આશ્રમમાં 11 વર્ષની દિકરીને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા અને ગુરુકુળમાં રહિશો દુષ્કર્મ થશે જેવી વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે ,ગઈકાલે 2 બાળકોએ આશ્રમમાં આવેલુ ગુરુકુળ છોડી દીધું છે, જ્યારે આજે 6 વિધાર્થીઓએ ગુરુકુળ છોડી દીધા છે.

આ હેબિયસ કોર્પસ રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારના વકીલને નિત્યાનંદ આશ્રમના મેનેજરનું નામ પુછ્યું હતું. જે મુદ્દે અરજદારના વકીલ યોગ્ય જવાબ આપી ન શકતા હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમે જેના મેનેજરનું નામ નથી જાણતા એવા આશ્રમના ગુરુકુળ ભરોસે તમારા બાળકોને રાખ્યા છે. હાઈકોર્ટે લાલ-આંખ રાખતા નિત્યાનંદ આશ્રમ અથવા આશ્રમના સંચાલકને કેસમાં પ્રતિવાદી તરીકે જોડાવવાનો આદેશ કર્યો હતો. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, નિત્યાનંદ આશ્રમમાં અભ્યાસ કરતા ચાર બાળકોના માતા-પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી. જેમાં પોલીસ તેમને બાળકોને ન મળવા દેતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Intro:નિત્યાનંદ આશ્રમમાં રહેતા બાળકોના માતા-પિતા તરફે હાઈકોર્ટમાં કરાયેલી હેબિયસ કોર્પસ રિટના ભાગરૂપે  જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ ગુરુવારે અરજદારના વકીલે અરજદારના વકીલે તેમની માતા-પિતાને બાળકોને મળવાની માંગ સ્વીકારતા હેબિયસ કોર્પસ રિટ પરત ખેંચવાની તૈયારી બતાવી હતી. સરકારી વકીલે આ મુદે કોઈ વાંધો કે સોંગદનામું રજુ કરવાનું વલણ ન દાખવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. Body:હાઈકોર્ટે બીજા દિવસે પણ સપષ્ટ વલણ દાખવ્યો હતો અને કહ્યું હતું કે તપાસને અસર પડે તેવો આદેશ ક્યારેય આપી શકાય નહિ.આશ્રમના મેનેજર વિશે વેબસાઈટ પર સર્ચ કર્યું હોવા છતાં તેમની માહિતી ન મળી હોવાની રજુઆત કરી હતી. ગઈકાલે હાઈકોર્ટે અરજદારના વકીલને અશ્રમના મેનેજરનું નામ રજુ કરવાનો આદેશ કર્યો હતો. બંને પક્ષે સમંતિ દર્શાવતા રિટ અરજદાર વતી પરત ખેંચી લેવામાં આવી હતી. 

બુધવારે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પોલીસ દ્વારા હાજર કરાયેલા તમામ 4 બાળકોએ આશ્રમના ગુરુકુળમાં રહેવાનો તેમનો નિર્ણય કોર્ટને જણાવ્યો હતો. હાઈકોર્ટે કેસની તપાસ દરમ્યાન બાળકો સાથે ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી અને મહિલા અધિકારીને સાથે રહેવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા કહ્યું કે માતા-પિતાને તેમના બાળકોને મળવાથી રોકી શકાય નહિ. જોકે તેની પોલીસ તપાસ દરમ્યાન માતા-પિતા બાળક સાથે હાજર રહી શકશે નહિ. આ સમગ્ર કેસની તપાસ દરમ્યાન બાળકો સાથે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના અધિકારી અને મહિલા અધિકારી હાજર રહેશે. પોલીસે આશ્રમમાં કોણ - ક્યારે આવ્યું તેનું રજીસ્ટર અને ડિટેઈલ માહિતી રાખવાનો કોર્ટે આદેશ કર્યો છે. આશ્રમાંથી કોઈપણ બાળક હાઈકોર્ટની પરવાનગી વગર ક્યાંય જઈ શકશે નહિ તેવો પણ હાઈકોર્ટે સુચન કર્યું હતું.. Conclusion:હાઈકોર્ટના આદેશ બાદ વિવેકાનંદનગર પોલીસ દ્નારા રજુ કરાયેલા ચારેય બાળકોએ કોર્ટને જણાવ્યું હતું કે કેસની તપાસ માટે અમને પોલીસ અધિકારી દ્વારા અલગ અલગ બોલાવવામાં આવે છે અને કેટલાક કાગસ પર અમારી સહીં લેવામાં આવતા અમને ભય લાગે છે. બાળકો સાથે આવેલી આશ્રમની મેન્ટર ત્રિશા સિંહે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસે આશ્રમમાં 11 વર્ષની દિકરીને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા અને ગુરુકુળમાં રહેશો દુષ્કર્મ થશે જેવી વાતો કરી હતી.. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 2 બાળકોએ આશ્રમમાં આવેલો ગુરુકુળ છોડી દીધો છે જ્યારે આજે 6 વિધાર્થીઓએ ગુરુકુળ છોડી દીધો છે.

આ હેબિયસ કોર્પસ રિટની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે અરજદારના વકીલને નિત્યાનંદ આશ્રમના મેનેજરનું નામ પુછ્યું હતું જે મુદે અરજદારના વકીલ યોગ્ય જવાબ આપી ન શકતા હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમે જેના મેનેજરનું નામ નથી જાણતા એવા આશ્રમના ગુરુકુળ ભરોસે તમારા બાળકોને રાખ્યા છે. હાઈકોર્ટે લાલ-આંખ રાખતા નિત્યાનંદ આશ્રમ અથવા આશ્રમના સંચાલકને કેસમાં પ્રતિવાદી તરીકે જોડાવવાનો આદેશ કર્યો હતો. આ સમગ્ર કેસની વિગત એવી છે કે નિત્યાનંદ આશ્રમમાં અભ્યાસ કરતા ચાર બાળકોના માતા-પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી જેમાં પોલીસ તેમને બાળકોને ન મળવા દેતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.