ETV Bharat / state

કોંગ્રેસનો પરિવર્તન સમયલોન્ચ, શું ખરેખર બદલાશે કોંગ્રેસનો સમય?

author img

By

Published : Nov 8, 2022, 7:21 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022 ) એલાન થતા જ સમામ પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં ગોઠવાઈ ગયા છે. જેમાં કોંગ્રેસે કાંઈક નવું કર્યું છે. આજે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે (Congress office Ahmedabad) ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું પરિણામ થાય ત્યા સુધીનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. એટલે કે કોંગ્રેસ ભવન પર એક ઘડિયાળ (Congress Install Digital watch on Congress office) લગાવવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ પ્રભારીએ ભાજપ વિરોધી નિવેદન પાઠવ્યું છે.

કોંગ્રેસનો પરિવર્તન સમયલોન્ચ, શું ખરેખર બદલાશે કોંગ્રેસનો સમય?
કોંગ્રેસનો પરિવર્તન સમયલોન્ચ, શું ખરેખર બદલાશે કોંગ્રેસનો સમય?

અમદાવાદ અમદાવાદમાં કોંગ્રેસ ભવન (Congress Bhavan in Ahmedabad) ખાતે એક ઘડિયાળ લગાવવામાં આવી છે. એમાં કોંગ્રેસે પોતાનું એકાઉન્ટ શરૂ કર્યું છે. જ્યાં સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) 2022નું પરિણામ (Gujarat Assembly Election Result) નહીં આવે ત્યાં સુધી આ ઘડિયાળમાં સમય બતાવતો રહેશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections in Rajasthan) પહેલા પણ ત્યાં જ આવી રીતે ઘડિયાળ લગાવવામાં આવી હતી. રાજસ્થાનમાં ઘડિયાળ લગાવવા બાદ ત્યાં કોંગ્રેસની સરકાર બની હતી. એવો એમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે એક ઘડિયાળ લગાવવામાં આવી છે

ભાજપનું શાસન હવે સમાપ્ત થયું ગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં ઘડિયાલ લગાવવામાં આવી છે. જેને લઈને પ્રભારી (Gujarat Congress in charge) રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપનું શાસન હવે સમાપ્ત થયું છે ગુજરાતની જનતા જે મહેસૂસ કરી રહી છે. એનું રિફ્લેક્શન આ ઘડિયાળ તરફથી આવી રહ્યું છે. હું એક વર્ષથી ગુજરાતમાં ફરી રહ્યો છું લોકોમાં ભારે આક્રોશને નારાજગી જોવા મળી રહી છે. અને એનું ઉદાહરણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10થી 12 દિવસ ગુજરાતમાં રહેવું પડે છે. આ લોકોને એમના મુખ્યપ્રધાન ઉપર પણ વિશ્વાસ નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન 10થી 15 દિવસ સુધી ગુજરાતમાં રહી રહ્યા છે.

ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે જો ગુજરાતમાં બધું જ સારું હોય તો પછી આ લોકોને ડર કઈ વાતનો છે. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને આ વખતે સરકાર પલટીને રહેશે. ગુજરાતમાં એટલી બધી પણ તકલીફો છે તો ભાજપ કઈ વાત પર ઘમંડ કરી રહ્યું છે? કે અમે કંઈ પણ નહીં કરીએ તો પણ અમે લોકો સરકાર બનાવીને રહેશું?

ભાજપની છેલ્લી ઘડી અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ વખતે પરિવર્તન કરશે અને એટલે જ આ વસ્તુ આ ઘડિયાળમાં દેખાઈ રહી છે. જે દિવસે આગળ બંધ થશે. એ દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં રહે. હવે ગુજરાતની જનતા પરિવર્તન માંગી રહી છે. તેવી ગણતરીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ એ ભાજપની છેલ્લી ઘડીને લઈને આ ઘડિયાળ લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.