ETV Bharat / state

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

author img

By

Published : Feb 3, 2021, 2:08 PM IST

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ કોમ્પલેક્સ સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો અને કોમ્પલેક્ષના ઉપરના ભાગે રહેણાંક વિસ્તાર હોય ત્યાં હાજર 8 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

નારણપુરા વિસ્તારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહિ
નારણપુરા વિસ્તારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહિ

  • અમદાવાદમાં વધુ એક આગ
  • નારણપુરા વિસ્તારમાં લાગી હતી આગ
  • આગના પગલે 8 લોકોના રેસ્ક્યુ કરાયા

અમદાવાદ: શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેટ્યૂ નજીક આવેલ કોમ્પલેક્સની એક દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

નારણપુરા વિસ્તારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહિ

નારણપુરા વિસ્તારમાં લાગેલી આગમાં કોઈ જાનહાની નહીં

મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં આગના બનાવો વારંવાર બનતા રહે છે અને એમાં જાનહાનિનો પ્રશ્ર સવાલ ઊભો થાય છે. ત્યારે આજે લાગેલી આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.