ETV Bharat / state

દિવાળીની રાત્રે 3 જગ્યાએ ભીષણ આગ, ફાયર વિભાગને જાણ થતાં કાફલો દોડતો

author img

By

Published : Oct 25, 2022, 1:31 PM IST

અમદાવાદમાં દિવાળીની (Diwali in Ahmedabad) રાત્રે અલગ અલગ ત્રણ જગ્યા પર આગ લાગતા ફાયર વિભાગનો કાફલો દોડતો થઈ ગયો હતો. શહેરમાં ચાંદખેડા, સારંગપુર અને અસારવામાં (Fire case in Ahmedabad Diwali day) આગ લાગી હતી. અસારવામાં લાગેલી ભીષણ આગથી 11 જેટલા મકાનો ઝપેટમાં આવી ગયા હતા. (Fire case Diwali day in Ahmedabad)

દિવાળીની રાત્રે 3 જગ્યાએ ભીષણ આગ, ફાયર વિભાગને જાણ થતાં કાફલો દોડતો
દિવાળીની રાત્રે 3 જગ્યાએ ભીષણ આગ, ફાયર વિભાગને જાણ થતાં કાફલો દોડતો

અમદાવાદ રાજ્યમાં દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી (Diwali in Ahmedabad) કરવામાં આવી રહી હતી. ફટાકડા ફોડતી વખતે અને રોકેટ છૂટવાને કારણે શહેરમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો પણ સામે આવ્યા હતા. પરંતુ આ સમયે ફાયર બ્રિગેડની સમયચક્રને કારણે કોઈપણ સ્થળ પર ભારે થવાનું થઈ ન હતી. પરંતુ સારંગપુરની અંદર કાપડમાં ગોડાઉનમાં (Fire in Sarangpur Textile godown) આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જેમાં 11 જેટલા રહેણાક મકાનોને આગની ઝપેટમાં આવી ગયા હતા. (Ahmedabad Fire Department)

અમદાવાદમાં દિવાળીની રાત્રે 3 જગ્યાએ ભીષણ આગ

કાપડ વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી સારંગપુર વિસ્તારમાં આવેલ રોઝી સિનેમાની ગલીમાં કાપડ વેસ્ટર્નની ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન થવાનું હોવાથી આ ઝડપી પ્રસરી હતી. ગોડાઉનમાં આગ લાગતા તેની બાજુમાં રહેલા ત્રણ મકાનોમાં પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. મકાનમાં પડેલામાં ત્રણ ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડી બનાવ સ્થળે પહોંચીને પાણીનો છંટકાવ કરી અંદાજે 5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. (Fire case in Chandkheda)

11 મકાનો આગની ઝપેટના આવ્યા કાપડના ગોડાઉનમાં આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ગોડાઉનની ઉપર આવેલા 11 જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાંથી છ મકાન સંપૂર્ણ રીતે બળીને ખાખ (Ahmedabad Diwali day) થઈ ગયા છે. જ્યારે પાંચ મકાનો ફાયર બ્રિગાડની ઝડપી કામગીરીથી આગથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના કયા કારણસર લાગી તેનું પ્રાથમિક કારણ હજુ પણ જાણવા મળ્યું નથી. (Asarwa fire case)

રોકેટ કારણે ફ્લેટની બારીમાં આગ લાગી અમદાવાદના ચાંદખેડાની અંદર (Fire case in Ahmedabad) પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ચાંદખેડાના કળશ એપાર્ટમેન્ટની અંદર રોકેટ જવાની કારણે આગ લાગી હતી. જોકે આ આગ એટલી મોટી નહોતી. જ્યારે બીજી બાજુ અમદાવાદના અસર અસારવાની કડિયાની ચાલી પાસે આગ લાગીની ઘટના સામે આવી હતી. જોકે આમાં પણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ રાહતની વાત એ છે કે, રાત્રે આગ લાગેલી ઘટનાઓમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના સમાચાર બહાર આવ્યા નથી. (Fire case in Sarangpur)

આગ લાગવાના 50 જેટલા કોલ મળ્યા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર દિવાળીની રાત્રે અંદાજે આગ લાગ્યાના 50 જેટલા કોલ મળ્યા હતા. તમામ જગ્યાએ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ અસારવામાં લાગેલી આગ સિવાય અન્ય જગ્યાએ સામાન્ય આગના બનાવો હતા. શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલી આગ બનાવવામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. (Fire case Diwali day in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.