ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમને ટોકન પર ભાડે જમીન આપીને DPS સ્કૂલે નિયમનું ઉલ્લંઘન કર્યું

author img

By

Published : Nov 28, 2019, 5:48 PM IST

amdavad
અમદાવાદ

અમદાવાદ: શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલ DPS સ્કૂલના મેદાનમાં નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં રાજ્યના શિક્ષણ અગ્ર સચિવે DPS સ્કૂલ મુદ્દે શનિવારે નિવેદન આપ્યું હતું કે, DPS શાળાની સંપૂર્ણ જમીન સ્કૂલ કે, ટ્રસ્ટના નામે નથી, પરંતુ એક ખેડૂતના નામે છે. જ્યારે આ બાબતે હવે અમદાવાદ કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, DPS દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં 300 ટકા પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં 25 ટકા પ્રીમિયમ લઈને DPS સ્કૂલને NA સર્ટી આપવામાં આવ્યું હતું. જેમાં તમામ શરતો મુકવામાં આવી હતી. જ્યારે શાળા ક્યારેય કોઈ ધાર્મિક સંસ્થાને ટોકન રૂપે અથવા તો સ્કૂલ કેમ્પસમાં અન્ય ધાર્મિક પ્રવૃત્તિ ના કરવા દે પરંતુ, DPS સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમને ટોકન ભાડે જમીન આપી તે શરતનો ભંગ કર્યો છે. જેમાં શરતભંગ બદલ મામલતદારે નોટિસ આપી છે. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા નિયમોના ભંગ બદલ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જરૂર પડશે તો જંત્રીના 300 ટકા લેખે દંડની જોગવાઈ કરવામાં આવશે. તેવું નિવેદન અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ આપ્યું હતું.

નિત્યાનંદ આશ્રમને ટોકન પર ભાડે જમીન આપીને DPS સ્કૂલે નિયમનો કર્યો ઉલ્લંઘન
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા CBSEને લેખિતમાં રિપોર્ટર તો કરવામાં આવ્યો છે પરંતુ, હવે મહેસુલ વિભાગ દ્વારા પણ DPS સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે રાજ્ય સરકાર ફક્ત કાર્યવાહી કરશે કે, કોઈ નક્કર પગલાં લેશે તે જોવાનું રહ્યું...
Intro:Approved by panchal sir


અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ ડીપીએસ સ્કૂલના મેદાનમાં નિત્યાનંદ આશ્રમને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલુ છે. જેમાં આજે રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ ડીપીએસ સ્કૂલ મુદ્દે શનિવારે નિવેદન આપ્યું હતું કે ડીપીએસ શાળાની સંપુર્ણ જમીન સ્કુલ કે ટ્રસ્ટના નામે નથી પરંતુ એક ખેડૂતના નામે જમીન છે. જ્યારે આજ બાબતે હવે અમદાવાદ કલેકટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ડીપીએસ દ્વારા કાયદા નું ઉલ્લંઘન કર્યું છે, જેમાં 300 ટકા પેનલ્ટી ની જોગવાઈ કરવામાં આવી છે. Body:અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં 25 ટકા પ્રીમિયમ લઈને ડીપીએસ સ્કૂલને એન.એ. સર્ટી આપવામાં આવ્યું હતું, જેમાં તમામ શરતો મુકવામાં આવી હતી જ્યારે શાળા ક્યારેય કોઈ ધાર્મિક સંસ્થાને ટોકન રૂપે અથવાતો સ્કૂલ કેમ્પસ માં અન્ય ધાર્મિક પ્રવૃત્તિ ના કરવા દે પણ ડીપીએસ સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમને ટોકન ભાડે જમીન આપી તે શરત ભંગ છે, જેમાં શરતભંગ બદલ મામલતદારે નોટિસ આપી છે. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા નિયમોના ભંગ બદલ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જરૂર પડશે તો જંત્રીના 300 ટકા લેખે દંડની જોગવાઈ કરવામાં આવશે તેવું નિવેદન અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ આપ્યું હતું.

બાઈટ....

વિક્રાંત પાંડે અમદાવાદ કલેકટરConclusion:આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સીબીએસસી ને લેખિતમાં રિપોર્ટર તો કરવામાં આવ્યો છે પરંતુ હવે મહેસુલ વિભાગ દ્વારા પણ ડીપીએસ સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે હવે રાજ્ય સરકાર ફક્ત કાર્યવાહી કરશે કે કોઈ નક્કર પગલાં થશે તે જોવું રહ્યું...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.