ETV Bharat / state

Bageshwardham in Ahmedabad : બાગેશ્વર ધામનાં પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બનશે અમદાવાદના મહેમાન, હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળ અને તારીખો જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 8:45 PM IST

અમદાવાદનાં હાથીજણ ખાતે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાગેશ્વર ધામની હનુમંત કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. 18 થી 20 ઓક્ટોબર સુધી કાર્યક્રમને લઈને આયોજક દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Bageshwardham in Ahmedabad : બાગેશ્વર ધામ બનશે અમદાવાદના મહેમાન, હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળ અને તારીખો જાણો
Bageshwardham in Ahmedabad : બાગેશ્વર ધામ બનશે અમદાવાદના મહેમાન, હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળ અને તારીખો જાણો

આયોજક દ્વારા તૈયારીઓ શરૂ

અમદાવાદ : બાગેશ્વર ધામનાં પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની ફરી વાર ગુજરાતમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આગામી ઓક્ટોબર મહિનામાં અમદાવાદ અને અંબાજીમાં બાબા બાગેશ્વરની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરાયુ છે. જેમાં અમદાવાદમાં યોજાનાર હનુમંત કથા અને દિવ્ય દરબારને લઈને આયોજક દ્વારા તૈયારીઓનો શુભારંભ કરાયો છે. હાથીજણ ખાતે કાર્યક્રમ સ્થળ પર ભૂમિપૂજન અને હનુમાનજીની ધ્વજા ફરકાવી તૈયારીઓ શરૂ કરાઈ છે. અમદાવાદમાં હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરનાર કમલાકર રાજપૂતે ઈટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીત કરી હતી.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમંત કથા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કથા સ્થળ પર 5 લાખ લોકો આવી શકે તેવી જગ્યા છે, તેમજ 17મી ઓક્ટોબરના રોજ કળશ યાત્રા યોજાનાર છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે...કમલાકર રાજપૂત (આયોજક)

ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન : થોડા મહિનાઓ પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર યોજાયા હતાં. જેમાં હજારોની સંખ્યામાં લોકો તેઓની એક ઝલક નિહાળવા અને કથા સાંભળવા માટે જોડાયા હતાં. તેવામાં ફરી એક વાર બાબા બાગેશ્વર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. જેમાં અમદાવાદ અને અંબાજીમાં બાબા બાગેશ્વરના ત્રણ ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

18 થી 20 ઓક્ટોબર યોજાશે : અમદાવાદનાં હાથીજણ ખાતે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા 18 થી 20 ઓક્ટોબર સુધી બાબા બાગેશ્વરની હનુમંત કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જે કાર્યક્રમને લઈને આયોજક દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. હાથીજણ સર્કલ પાસે આવેલા સિધ્ધ બાગેશ્વર મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તે સ્થળ પર આયોજકે સંતો મહંતો અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ભૂમિપૂજન કર્યું હતું તેમજ હનુમાનજીની ધજા પણ ફરકાવવામાં આવી હતી.

કળશ યાત્રાનું પણ આયોજન : બાબા બાગેશ્વરની હનુમંત કથાના આગલા દિવસે 17 ઓક્ટોબરે કળશ યાત્રાનું પણ આયોજન કરાયું છે. જેમાં સવારે 8 વાગે અમરધામ લાલ ગેબી આશ્રમથી પગપાળા શરૂ કરી બપોરે 12 કલાકે કથા મંડપમાં કળશયાત્રા પૂર્ણ કરાશે. બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે વિશાળ ડોમ પણ બનાવવામાં આવશે.

અંબાજીમાં ઈસ્કોન ગૃપના ચેરમેન પ્રવીણ કોટક આયોજક : તે પહેલા અમદાવાદના ઈસ્કોન ગૃપના ચેરમેન પ્રવીણ કોટક દ્વારા અંબાજી ખાતે અંબા વેલીમાં બાબા બાગેશ્વરની બે દિવસીય કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કર્યું છે. 15 થી 17 ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જે કથામાં 2 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે. જેને લઈને પણ તૈયારીઓ હાથ ધરાઈ છે. જેની સમીક્ષા માટે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પર્સનલ આસિસ્ટન્ટ નિતેન્દ્ર ચૌબેએ થોડા દિવસો પહેલા જ કરી હતી.

  1. Bageshwar Dham in Vadodara: કાફલો ઊભો રખાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ રસ્તા વચ્ચે માણ્યો પાણીપુરીનો સ્વાદ, પાણીપુરી વિક્રેતા રાજીના રેડ
  2. Bageshwar Dham in Vadodara : હિન્દુ રાષ્ટ્ર અંગે પોતાના વિચારો સ્પષ્ટ કરતાં બાગેશ્વર ધામ, રાજનીતિમાં આવવા અંગે શું કહ્યું જૂઓ
  3. Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.