ETV Bharat / state

AMCના અધિકારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું કર્યું નિરીક્ષણ

author img

By

Published : May 16, 2022, 6:38 PM IST

Foot Over Bridge:અમદાવાદ કોર્પોરેશના અધિકારીઓ અચાનક રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજ પર પહોંચ્યા
Foot Over Bridge:અમદાવાદ કોર્પોરેશના અધિકારીઓ અચાનક રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજ પર પહોંચ્યા

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Riverfront)પર તૈયાર થઈ રહેલ અટલ ફૂટ વે બ્રિજ નિરીક્ષણ કરવા આચનક અમદાવાદ કોર્પોરેશન અધિકારી પહોંચ્યા હતા. જેમાં ફૂટ વે બ્રીજની( Foot Over Bridge )ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: અમદાવાદ સાબરમતી નદી પર બનાવમાં આવેલ ફૂટ વે બ્રિજની કામગીરી(Foot over bridge in Ahmedabad) કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે. મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડિંગ, પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂત ચાલી રહેલી કામગીરીની નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે અંદાજિત 74 કરોડના ખર્ચે આ ફૂટ વે બ્રિજ( Atal Foot Way Bridge)બનાવવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટ્રિયન અને સાયકલલીસ્ટને સરળતાથી જોઈ શકાશે.

આ પણ વાંચોઃ રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક

અટલ બ્રિજ એન્જિનિયર અજાયબી તરીકે ઓળખાશે - આ બ્રિજને પંતગ જેવો શેપ(Foot Over Bridge) આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર 300 મીટરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ બ્રિજ (Sabarmati bridge)વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે 1000 કિલો જેટલું વજન પણ જીલી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જણાવ્યુ હતું કે આ બ્રિજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું અને આ બિર્જનું નામ પણ અટલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેર નવું નજરાણું (Sabarmati new bridge)મળવા જઈ રહ્યું છે. આ ભારતનો પ્રથમ નદી પરનો આવો ફૂટ વે બ્રિજ પ્રથમ હશે.

વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે - વધુમાં જણાવ્યુ હતું કે આ બ્રિજ બનવાનું સ્વપ્ન વડાપ્રધાનનું હતું જેથી આ બ્રિજ લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. વડાપ્રધાન પાસે લોકાર્પણ માટે સમય માગવામાં આવ્યો છે. જ્યારે સમય તે આપશે ત્યારે તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે આ બ્રિજ પર સમય અને ટિકિટ પણ બોર્ડની બેઠક મળશે ત્યારે નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ AMC Standing Committee Meeting: અમદાવાદની સુંદરતામાં ઉંમેરાયું વધુ એક મોરપીંછ, PMને અપાયું વિશેષ આમંત્રણ

શું છે અટલ બ્રીજની ખાસિયત - આ બ્રિજ કુલ 300 મીટર લંબાઈ ધરાવે છે. જ્યારે બ્રીજના છેડે 10 મીટર અને બ્રીજના વચ્ચે 14 મીટર પહોળાઈ ધરાવે છે. આ બ્રિજ પર નદીના બંને છેડેથી પ્રવેશ મેળવી શકાશે. આ બ્રીજમાં સ્ટીલનું વજન 2600 મેટ્રિક ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રકચર તથા રંગેબેરંગી ફેબ્રિકની ટેન્સાઇલ સ્ટ્રકચરની છત અને વચ્ચેના ભાગે ફૂડ કિઓઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ડાયનેમિક કલર ચેઇન્જથી શકે તેવું એલ.ઇ.ડી.લાઈટિંગ પણ ગોઠવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.